ભારતને 2-2 વર્લ્ડ કપ જિતાડનારા પૂર્વ કપ્તાન મહેન્દ્ર સિંહ ધોનીએ થોડા દિવસો પહેલાં જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો છે. આ પછી પીએમ મોદીએ પત્ર લખીને તેમની ઉપલબ્ધિઓના વખાણ કર્યા છે.
પીએમ મોદીએ ધોનીને લખ્યો પત્ર
આ રીતે કર્યા પીએમ મોદીએ વખાણ
પીએમના પત્રના બદલામાં ધોનીએ કહ્યું ધન્યવાદ
પીએમ મોદીએ મહેન્દ્ર સિંહ ધોનીના વખાણ કર્યા બાદ ધોનીએ પણ ટ્વિટર પર તેમને ધન્યવાદ કહ્યું છે.
An Artist,Soldier and Sportsperson what they crave for is appreciation, that their hard work and sacrifice is getting noticed and appreciated by everyone.thanks PM @narendramodi for your appreciation and good wishes. pic.twitter.com/T0naCT7mO7
પીએમ મોદીના વખાણના બદલામાં ધોનીએ ટ્વિટ કરીને લખ્યું છે કે એક કલાકાર, સૈનિક અને ખેલાડીને પ્રશંસાની જ ઈચ્છા હોય છે. તે ઈચ્છે છે કે તેમની મહેનત અને બલિદાને બધા વખાણે. ધન્યવાદ પીએમ મોદી. તમારી તરફથી મેળવેલી શુભકામનાઓ માટે.
પીએમ મોદીએ આ પહેલાં લખ્યું હતું કે તમારામાં નવા ભારતની આત્મા છલકે છે. જ્યાં યુવાઓની નિયતિ તેમના પરિવારનું નામ નક્કી કરતું નથી. તે પોતાના મુકામ અને નામ મેળવે છે.
આવું રહ્યું છે ધોનીનું યોગદાન
ઉલ્લેખનીય છે કે 39 વર્ષના ધોનીએ 2004માં આંતરરાષ્ટ્રિય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ 350 વનડે, 90 ટેસ્ટ અને 98 ટી-20 આંતરરાષ્ટ્રિય મેચ રમી છે. ધોનીની કપ્તાનીમાં ભારતે 2007માં પહેલા ટી-20વિશ્વ કપને જીત્યો છે. ત્યાર બાદ 2011માં 50 ઓવર વિશ્વ કપ અને 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી. ભારતે 2010 અને 2016નો એશિયા કપ પણ ધોનીની કપ્તાનીમાં જીત્યો હતો.