પોતાના સેવિંગ્સમાંથી 25 હજાર રૂપિયાની રાશિ પીએમ રિલીફ ફંડમાં આપી, સોશ્યલ મીડિયા પર લોકોએ વખાણ કર્યા
પીએમની અપીલ પછી દુનિયાભરમાંથી આવી રહી છે મદદ, ઉદ્યોગપતિથી લઇને સેલેબ્સ કરી રહ્યા છે દાન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પીએમ રિલીફ ફંડમાં તેમની માતાએ 25 હજાર રૂપિયા દાન કર્યા. હીરાબા અત્યારે ગુજરાતના ગાંધીનગર ખાતે રહે છે અને સતત પોતાના દિકરા નરેન્દ્ર મોદીના પ્રયાસોને જોઇને તેમનું સમર્થન કરે છે.
પીએમ નરેન્દ્ર મોદીએ તેમની માતાએ આ રકમ પીએમ રિલીફ ફંડમાં દાન કર્યા છે. આ ફંડને પીએમ નરેન્દ્ર મોદીએ કોરોના પીડિતોની મદદ માટે બનાવ્યુ છે, જેમાં દુનિયાભરથી લોકો મદદ કરી રહ્યા છે. તમામ ઉદ્યોગપતિથી લઇને ઘણા સેલેબ્સના આ યોગદાન વચ્ચે હીરાબેનના આ યોગદાનની સોશ્યલ મીડિયા પર વાહવાહી થઇ રહી છે.
કર્મવીરોને પણ કર્યુ સલામ
मां...
मां आप जैसी करोड़ों माताओं के आशीर्वाद से कोरोना वायरस से लड़ रहे डॉक्टर, नर्स, मेडिकल स्टाफ, पुलिसकर्मी, सुरक्षाकर्मी, सफाईकर्मी और मीडियाकर्मी जैसे अनगिनत लोगों को बहुत प्रेरणा मिली। आगे काम करने का संबल मिला ।https://t.co/Hx5usWceTShttps://t.co/Qx8zBynSL3https://t.co/YclxhAetSN
આ પહેલા પીએમ મોદીની માતાએ કર્મવીરોના યોગદાનને સલામ કરવા માટે પોતાના ઘરની બહાર આવીને થાળી વગાડી હતી. વુદ્ઘાવસ્થામાં પણ પોતાની માતાનું આ કામ દોઇને પીએમ મોદીએ તેમની માતાની ફોટો ટ્વીટ કર્યો હતો.