આ દેશ શીખો પર ગર્વ કરે છે. તેથી પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા યોગ્ય નથી.
પીએમ મોદીએ ચોધરી ચરણસિંહનો ઉલ્લેખ કરીને પશ્ચિમ યુપીના ખેડૂતોને સંદેશ આપ્યો અને શીખ સમૂદાયને દેશની શાન ગણવીને પંજાબના આંદોલનકારી ખેડૂતોના દિલ જીતવાનો પ્રયાસ કર્યો
ઘણા વર્ષો પંજાબમાં ગાળ્યાં, પંજાબની રોટલી ખાધી છે
પીએમ મોદીએ કહ્યું કે મેં ઘણા વર્ષો પંજાબમાં ગાળ્યાં છે અને પંજાબની રોટલી ખાધી છે. આપણે શીખ ગુરુની પરંપરામાં માનીએ છીએ. તેમને માટે જે ભાષા બોલાઈ રહી છે તેનાથી દેશનું ભલું નહીં થાય.
શીખ ભાઈઓ પર દેશને ગર્વની લાગણી
ભારતની તાકાત સમસ્યાના સમાધાન કરવામાં રહી છે પરંતુ કેટલાક લોકો ભારતને અસ્થિર કરવા માગે છે અને તેઓ ઈચ્છે છે કે દેશ અશાંત રહે. તેથી આપણે સતર્ક રહેવાની જરુર છે. પંજાબનું શું થયું ? પંજાબના ભાગલા પડ્યાં. 1984 ના શીખ વિરોધી રમખાણ થયા. કાશ્મીર અને નોર્થ ઈસ્ટમાં પણ આવું જ થયું. તેનાથી દેશને ઘણું નુકશાન થયું. કેટલાક લોકો શીખ ભાઈઓના મગજમાં ખોટી વાતો ભરી રહ્યાં છે. આ દેશ શીખો પર ગર્વ કરે છે. તેથી પંજાબના ખેડૂતોને ગેરમાર્ગે દોરવા યોગ્ય નથી.
પીએમ મોદીએ કહ્યું કે, હું આજે પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણ સિંહની વાતનો ઉલ્લેખ કરવા માંગુ છું. તેમનું કથન છે, ખેડૂતોનું સેન્સસ કરવામાં આવ્યું તો 33 ટકા ખેડૂતો એવા છે જેમની પાસે જમીન બે વિઘાથી ઓછી છે અને બે વિઘા પણ નથી. 18 ટકા જે ખેડૂત કહેવાય છે તેમની પાસે બે થી ચાર વિધા જમીન છે. આ 51 ટકા ખેડૂતો ભલે ગમે તેટલી મહેનત કરે તેમની થોડી જમીન પર ઈમાનદારીથી તેમનું ગુજરાન નહી કરી શકે.
અમારી સરકાર આ નાના ખેડૂતોની દિશામાં પ્રયત્નશિલ રહેશે.
તેમણે કહ્યું કે નાના ખેડૂતોની દયનીય સ્થિતિ હંમેશા ચૌધરી ચરણ સિંહને હેરાન કરતી હતી, હવે અમે ભવિષ્યમાં જોઈશું. એવા ખેડૂત જેમની પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમી છે, 1971માં તે 51 ટકા હતી, આજે 68 ટકા થઈ ચૂકી છે. દેશમાં એવા ખેડૂતોની સંખ્યા વધી રહી છે જેમની પાસે ખૂબ ઓછી જમીન છે. આજે લઘુ અને સીમંત ખેડૂતોને ગણીએ તો 68 ટકાથી વધુ ખેડૂતો પાસે બે હેક્ટરથી પણ ઓછી જમીન છે. એવા 12 કરોડ ખેડૂત છે. શું આ ખેડૂતો પ્રત્યે આપણી કોઈ જવાબદારી નથી. અમારી સરકાર આ નાના ખેડૂતોની દિશામાં પ્રયત્નશિલ રહેશે.