જમ્મુ કાશ્મીરમાં થયેલા ડ્રોન હુમલાના બે દિવસ બાદ પ્રધાનમંત્રીએ હાઈ લેવલની બેઠક બોલાવી. સૂત્રોના જણાવ્યાનુસાર, ડ્રોન હુમલાની સામે કડક કાર્યવાહી કરવાના મુદ્દે પ્રધાનમંત્રી મોદીએ ચર્ચા કરાઈ હોવાની શક્યતા છે.
મંગળવારે સાંજના 4 વાગ્યે 7 કેએલએમ ખાતે બેઠક શરુ થઈ હતી. પ્રધાનમંત્રીએ ડ્રોન હુમલાની સામે કેવી રીતે કાર્યવાહી કરવી તે મુદ્દે પણ ચર્ચા કરી હોવાનું મનાઈ રહ્યું છે.
એરફોર્સ ચીફે સંરક્ષણ મંત્રી રાજનાથને માહિતી આપી
બેઠક પહેલા એરફોર્સ ચીફે સંરક્ષણ મંત્રી રાજનાથને ડ્રોન હુમલાની માહિતી આપી હતી. હજુ એક દિવસ પહેલા રાજનાથ લેહની મુલાકાતે જઈ આવ્યાં હતા તથા પડોશી પાકિસ્તાન અને ચીનને આકરો સંદેશ આપ્યો હતો.
જમ્મુમાં સતત ત્રીજા દિવસે મિલિટરી સ્ટેશનની અંદર ડ્રોન દેખાયું
ત્રીજી એક ચોંકાવનારી ઘટનામાં જમ્મુના એરફોર્સ સ્ટેશન સતવારીમાં સતત ત્રીજા દિવસે ડ્રોન દેખાયું હતું જે પછી તમામ એજન્સીઓને એલર્ટ મોડ પર મૂકી દેવાઈ હતી.
તથા નાકાબંધી કરીને સર્ચ ઓપરેશન ચલાવાયું હતું. મંગળવારે સવારે ત્રમ વાર ડ્રોનને લશ્કરી વિસ્તારમાં જોવામાં આવ્યું હતું.
જમ્મુમાં ભારતીય વાયુ સેના સ્ટેશન પર થયેલા બે ડ્રોન હુમલાના એક દિવસ બાદ ભારતે આ મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ઉઠાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતે કહ્યું કે સૈન્ય ઠેકાણાઓ પર થતા ડ્રોનના ઉપયોગને ગંભીરતાથી લેવામાં આવે નહીં તો ભવિષ્યમાં તે મોટો ખતરો સાબિત થઈ શકે છે.
ડ્રોનના ઉપયોગ પર નિયંત્રણ લગાવવું જોઈએ
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની તરફથી કહેવામાં આવ્યું કે સીમા પર હથિયારોની તસ્કરી માટે ડ્રોનનો ઉપયોગ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે. આતંરી ગતિવિધિઓને અંજામ આપવા માટે ડ્રોન હથિયારની જેમ ઉપયોગમાં લેવામાં આવે છે જે વાત હવે ગંભીરતાથી લેવી જોઈએ. જો આ વાતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ભવિષ્યમાં તેની પર નિયંત્રણ લાવવું મુશ્કેલ બનશે.