પીએમ મોદીએ પહેલી મીટિંગ સોમવારે સવારના 11.30 વાગ્યે કરી. ત્યાર બાદ સાંજના 4.30 વાગ્યે દેશના ટોચના ડોક્ટરો અને ફાર્માસ્યુટિકલ કંપનીઓના પ્રતિનિધિઓ સાથે કરી અને ત્રીજી બેઠક સાંજના 6 વાગ્યે કરી હતી. સતત બીજા દિવસે વડાપ્રધાન મોદીએ મીટિંગ કરી હતી. રવિવારે પીએમ મોદીએ પોતાના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં કોરોનાની પરિસ્થિતિની સમિક્ષા કરી હતી.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમા પીએમ મોદીએ વેક્સિનેસન, ઓક્સિજન સહિતના ઘણા મુદ્દે ચર્ચા કરી હતી.
Prime Minister Narendra Modi interacts with leading doctors from across the country via video conferencing on the #COVID19 situation pic.twitter.com/m4JkV81OiC
મહામારીની બીજી લહેરના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. વર્લ્ડોમીટર મુજબ રવિવારે રાતનાં 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં દેશમાં કુલ 2, 75, 306 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન 1625 દર્દીઓના મોત થયા છે. એક દિવસમાં કોરોનાના નવા કેસ અને મોત અત્યાર સુધીના સૌથી વધારે છે. દેશમાં સતત ત્રીજા દિવસે મોતની સંખ્યા રેકોર્ડ નોંધાવી રહી છે.
એક્ટિવ કેસ 19 લાખને પાર
સંક્રમણના મામલામાં સતત 39 માં દિવસે વૃદ્ધિ થઈ છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 19 લાખને પાર થઈ ગઈ છે. હાલમાં કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 19,23,877 છે. જે કુવ એક્ટિવ કેસની સંખ્યાના 12.76 ટકા છે.
સાજા થનારાનો દર ઘટીને 86 ટકા થયો છે.
કોરોનાથી સાજા થનારાનો દર ઘટીને 86 ટકા રહી ગયો છે. આંકડા મુજબ આ બિમારીથી સ્વસ્થ થનારા લોકોની સંખ્યા વધીને 1,29,48,848 થઈ છે. અને મૃત્યુ દર ઘટીને 1.20 ટકા થયો છે.
82 ટકા મોત ફક્ત આ 8 રાજ્યોમાં
દેશમાં 24 કલાકમાં સૌથી વધુ 503 લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. આ બાદ દિલ્હીમાં 161, છત્તીસગઠમાં 170, યુપીમાં 127, ગુજરાતમાં 110, કર્ણાટકામાં 81,પંજાબમાં 68 અને મધ્ય પ્રદેશમાં 66 લોકોના મોત થયા છે. આ 8 રાજ્યોમાં કુલ 1286 મોત થયા છે. જે 1570 મોતના 81.9 ટકા છે.