આ બેઠક દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે એક નિવેદન આપતા જણાવ્યું હતું કે હાલમાં દેશમાં કોરોનાના કેસ ફરીથી વધી રહ્યા છે અને આ સમયમાં તત્કાળ ઉપાય કરવા જરૂરી થઈ ગયા છે. ગૃહમંત્રી અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે દેશમાં 9 કરોડથી વધુ લોકોનું રસીકરણ થઈ ચૂક્યું છે અને 45થી વધુની ઉંમર વાળા લોકોના રસીકરણને ખૂબ જ જલ્દીથી પૂરું કરી દેવામાં આવશે.
લોકો પાસેથી પીએમ મોદીએ માંગ્યા સૂચનો
જો કે આમ મીટિંગ પછી પીએમ મોદીએ જનતા પાસેથી પણ કોરોનાથી બચાવ કરવાના અંગે સૂચનો માંગ્યા છે, તેમણે કહ્યું હતું કે દેશમાં એક વાર વધુ પડકારજનક પરિસ્થિતિ નિર્માણ થઈ રહી છે અને અમુક રાજ્યોમાં સ્થિતિ વધુ ખરાબ થઈ રહી છે, આપણે ગવર્નન્સ પર ધ્યાન આપવું પડશે. પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે દેશ ફર્સ્ટ લહેરના પિકને પાર કરી ચૂક્યો છે, પણ આ વખતે સંક્રમણ પહેલાથી પણ વધુ છે અને આ આપણાં બધા માટે ચિંતાનો વિષય છે.
પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે લોકો પહેલા કરતાં પણ વધુ કેઝ્યુઅલ થઈ ગયા છે અને હવે ફરીથી એકવાર યુદ્ધસ્તરે કામ કરવાનું શરૂ કરવું પડશે. પીએમ મોદીએ લોકોએ કહ્યું કે જનભાગીદારીની સાથે આપણાં ડોકટરો આજે પણ સ્થિતિને સંભાળવામાં મચી પડ્યા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કરી બેઠક
નોંધનીય છે કે આની અમુક સમય પહેલા જ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને મહારાષ્ટ્ર, દિલ્હી, છત્તીસગઢ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, કર્ણાટક, મધ્ય પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનની સિવાય અમુક કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓની સાથે પણ બેઠક કરીને કોરોના વાયરસની સ્થિતિની સમીક્ષા કરી હતી.