કોરોના વાયરસની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ અને આ બધા વચ્ચે અમુક રાજ્યોમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે.
જનતાને સચેત રહેવાની અપીલ કરી
કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે
પર્યટકોને લઈ કરી છે ટ્વિટ
જનતાને સચેત રહેવાની અપીલ કરી
કોરોના વાયરસની બીજી લહેર હજી સુધી પૂરી નથી થઈ અને આ બધા વચ્ચે અમુક રાજ્યોમાં ફરીથી કોરોનાના કેસો વધી રહ્યા છે. કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે PM મોદીએ પૂર્વોત્તરના રાજયોના મુખ્યમંત્રી સાથે ચર્ચા કરી. હિલ સ્ટેશન અને ફરવા લાયક સ્થળો પર ઉભરાતી ભીડને લઈ PM મોદીએ ચિંતા પણ વ્યકત કરી અને દેશની જનતાને સચેત રહેવાની અપીલ પણ કરી.
ये सही है कि कोरोना की वजह से टूरिज्म, व्यापार-कारोबार बहुत प्रभावित हुआ है।
लेकिन आज मैं बहुत जोर देकर कहूंगा कि हिल स्टेशंस में, मार्केट्स में बिना मास्क पहने, भारी भीड़ उमड़ना ठीक नहीं है: PM @narendramodi
પ્રધાનમંત્રી મોદીએ મુખ્યમંત્રીઓ સાથે વાતચીત દરમ્યાન કહ્યું કે વેકસીનેશનને લઈ પૂર્વોતરના રાજ્યો જે રીતે આગળ વધી રહ્યા છે, તે પ્રસંશાને પાત્ર છે. સાથે જ પણ રાજ્યોમાં પ્રમાણ ઓછું છે તે રાજ્યોએ વધુ ભાર આપવાની જરૂર છે. વધુમાં તેમણે કહ્યું કે કોરોનાની બીજી લહેરમાં અલગ અલગ સરકારોએ કામ કર્યું છે. પૂર્વોત્તરના અમુક જિલ્લાઓમાં કેસો વધી રહ્યા છે. એવામાં સતર્ક રહેવું જરૂરી છે. વધુમાં તેમણે કહ્યું કે કન્ટેનમેન્ટ નીતિ પર જોર આપીને જ કોઈ પણ પ્રકારનું એક્શન લેવામાં આવશે.
પર્યટકોને લઈ કરી છે ટ્વિટ
PM મોદીએ કહ્યું કે લોકો એવું માંની રહ્યા છે કે ત્રીજી લહેર પેહલા તેઓ થોડું ફરી લે, પણ ત્રીજી લહેર સામેથી નહીં આવે તેને લાવવામાં આવશે. વેકસીનેશનને લઈ અમે દરેક લોકોને જાગૃત કરવા પડશે. તેમણે કહ્યું કે આપણે કોરોનાના દરેક વેરિયન્ટ પણ નજર રાખવી પડશે. આ વાયરસ પોતાનું સ્વરૂપ બદલી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે હિલ સ્ટેશન પર જે ભીડ થઈ રહી છે તે ઘણો ચિંતાનો વિષય છે. અહિયાં લોકો માસ્ક વિના ફરી રહ્યા છે. ટ્વિટ કરતાં પણ તેમણે આ જ વાત સમગ્ર દેશવાસીઓને કહી.