લોકસભા ચૂંટણી 2019માં બીજેપીની પ્રચંડ જીત બાદ પીએમ નરેન્દ્ર મોદી આજે (25 મે) સાંજ સુધીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. આ પહેલા વડાપ્રધાન મોદી ચૂંટણી જીતી આવેલા એનડીએના નેતાઓને મળશે.
એનડીએ સાંસદોની આ બેઠકમાં નરેન્દ્ર મોદીને નેતા જાહેર કરાશે. આ બેઠક સંસદના સેન્ટ્રલ હોલમાં કરવામાં આવશે. પીએમ નરેન્દ્ર મોદીએ શુક્રવારે સાંજે પોતાનું રાજીનામું આપ્યું હતું. જે બાદ રાષ્ટ્રપતિ કોવિંદએ એમને નવી સરકારના ગઠન સુધી પદ પર બની રહેવા જણાવ્યું હતું. પીએમ મોદીના રાજીનામા બાદ શનિવારે રાષ્ટ્રપતિ કોવિંદે 16મી લોકસભા ભંગ કરી દીધી હતી. આ પહેલા મુખ્ય ચૂંટણી કમિશ્નર સુનીલ અરોડાએ રાષ્ટ્રપતિને 17મી લોકસભામાં ચૂંટવામાં આવેલા નવા સાંસદોની સૂચી સૌપી હતી.
વડાપ્રધાન મોદી પોતાના લોકસભા ચૂંટણી ક્ષેત્ર વારાણસી જશે જ્યાં એમણે 4.79 લાખ મતોના અંતરથી ચૂંટણી જીતી છે. મહત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણી 2019 બીજેપીએ પૂર્ણ બહુમત હાંસલ કરી હતી. આ પહેલીવાર છે કે જ્યારે બીજેપીએ સતત બીજી વાર પૂર્ણ બહુમત સાથે સત્તામાં વાપસી કરી છે. બીજેપીને આ વખતે 303 સીટ પર જીત હાંસલ કહી છે. જ્યારે ગત ચૂંટણીમાં 282 સીટો પર કબજો કર્યો હતો. જ્યારે ગત ચૂંટણીમાં 44 સીટ હાંસલ કરનારી કોંગ્રેસને લોકસભા ચૂંટણી 2019માં 52 સીટો મળી.
સૂત્રોનું માનીએ તો રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સાંજે એનડીએને સરકાર બનાવવા આમંત્રણ આપી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે રાષ્ટ્રપતિ કોવિંદને મળવા પહોંચશે. અહીં પીએમ મોદી સરકાર બનાવવાનો દાવો રજૂ કરશે, બાદમાં મીડિયા સાથે પણ વાતચીત કરી શકે છે.