વડાપ્રધાન નરેન્દ્ર મોદી આર્થિક વૃધ્ધિને તેજ કરવા તેમજ રોજગારીની તક ઉભી કરવા આર્થિક નીતિની રૂપરેખા પર ચર્ચા માટે આજે દેશના પ્રમુખ અર્થશાસ્ત્રીઓ તથા વિશેષજ્ઞો સાથે બેઠક કરશે.
સૂત્રોને મળેલી જાણકારી મુજબ આ બેઠકનું આયોજન નીતિ આયોગ દ્વારા કરવામાં આવી રહ્યું છે.
આ બેઠકમાં અલગ-અલગ મંત્રીઓ, નીતિ આયોગના અધિકારી, પ્રમુખ અર્થશાસ્ત્રી, ક્ષેત્રના વિશેષજ્ઞ અને ઉદ્યોગપતિઓ સામેલ થશે. આ બેઠક હાલમાં રજૂ કરવામાં આવેલ જીડીપી વૃદ્ધિના આંકડા બાદ યોજવામાં આવી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની બજેટ અગાઉ અર્થશાસ્ત્રીઓ સાથે આ મુલાકાતને ઘણી મહત્વની માનવામાં આવી રહી છે. પીએમ મોદી દિલ્લીના વિજ્ઞાન ભવન ખાતે અર્થશાસ્ત્રીઓ સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે 5 જૂલાઇના રોજ કેન્દ્રની મોદી સરકાર બજેટ રજૂ કરશે. આમ આ અગાઉ યોજનારી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
જ્યારે બીજી તરફ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 5 જૂલાઇના રોજ સંસદમાં બજેટ રજૂ કરશે. આ અગાઉ નાણાં પ્રધાન અલગ-અલગ સંગઠનો અને અધિકારીઓ સાથે મુલાકાત કરી રહ્યાં છે. બજેટ અગાઉ અને નવી સરકાર બન્યા બાદ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે પોતાની પ્રથમ જીએસટી કાઉન્સીલ બેઠક કરી.