ભારતના 'કેપ્ટન કૂલ' મહેન્દ્ર સિંહ ધોનીએ સંન્યાસની જાહેરાત કરી પછી ઘણા બધા ચાહકમાં નિરાશા જોવા મળી છે. લોકોએ સોશ્યલ મીડિયાના માધ્યમથી ધોનીના યોગદાનને યાદ કર્યું ત્યારે પાકિસ્તાની પૂર્વ ક્રિકેટરનું ધોની વિશેનું નિવેદન ચર્ચામાં આવ્યું છે. શોએબ અખ્તરનું માનવું છે કે ધોનીને જ્યારે પીએમ મોદીનું રમવાનું કહેશે ત્યારે ધોની ટી 20 વર્લ્ડ કપમાં રમવા માટે તૈયાર થઇ જશે.
T20 વર્લ્ડ આવી રહ્યું છે વામાં ધોનીને વાપસી કરવા કહી શકે છે મોદી : અખ્તર
પીએમના કહેવા પર ધોની ના નહીં પાડે : શોએબ અખ્તર
'ધોનીને એક ફેરવેલ મેચ મળવી જોઈતી હતી'
મહેન્દ્ર સિંહ ધોનીએ ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઇ લીધો છે પરંતુ પાકિસ્તાની ક્રિકેટ ટીમના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરને લાગે છે કે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ધોનીને આવતા વર્ષે ટી20 વર્લ્ડ કપમાં રમવા માટે અનુરોધ કરી શકે છે. ધોની આઈસીસીની ત્રણેય ટ્રોફી જીતનાર એકમાત્ર કેપ્ટન છે.
તેમની કેપ્ટનશીપમાં ભારતે વર્ષ 2007માં વર્લ્ડ ટી20 જીતી હતી. તે બાદ 2011માં 50 ઓવર વર્લ્ડ કપ અને વર્ષ 2013માં ચેમ્પિયંસ ટ્રોફી પણ જીતી. આ સાથે જ વર્ષ 2010માં અને 2016માં એશિયા કપ પણ ભારતે ધોનીની આગેવાની હેઠળ જ જીત્યું હતું. 2004માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ કરનાર ધોનીએ 350 વન ડે, 90 ટેસ્ટ અને 98 ટી 20 ઇન્ટરનેશનલ મુકાબલા જીત્યા હતા. ધોનીએ ત્રણેય ફોરમેટમાં કુલ મળીને 17,266 રન બનાવ્યા છે ત્યારે એક યુટ્યુબ ચેનલ પર અખ્તરે કહ્યું કે વર્ષ 2021માં ધોની ટી 20 વર્લ્ડ કપ રમી શકે છે. જે રીતે ભારત તેમના સિતારાઓનું સન્માન કરે છે તે જોતા હું કહી શકું છું કે ધોની ટી 20માં જરૂર રમશે.'
તેમણે વધુમાં કહ્યું કે ધોની બધું જ જીતી ચુક્યા છે. રાંચીથી આવેલા એક ખેલાડીએ આખા ભારતને ઝૂમવા પર મજબૂર કરી દીધું હવે બીજું શું જોઈએ ? રાવલપિંડી એક્સપ્રેસે વધુમાં કહ્યું કે ભારત ધોનીને એક ફેરવેલ મેચ આપવા માટે તૈયાર થઇ જશે, મારો વિશ્વાસ કરો. જો તે પોતે નથી ઇચ્છતા તો વાત જુદી છે પણ હા ભારત તૈયાર થઇ જશે. તમે વડાપ્રધાનને ના નહીં પાડી શકો.