ખેડૂત આંદોલનને લઈને સંસદમાં ઘેરી કેન્દ્ર સરકાર એક અનોખો નજારો દેખાઈ શકે છે. લોકસભામાં વિપક્ષના સરકારને ઘરવાનો કોઈ પ્રસંગ છોડી રહ્યા. રાષ્ટ્રપતિએ અભિભાષણ અન સામાન્ય બજેટને રજૂ કર્યા બાદ પણ કાર્યવાહી શરુ થઈ. હોબાળો થયો. ત્યાં સુધી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજું સુધી રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથીં આપી શક્યા. તેવામાં એ વાતની શક્યતા વધી ગઈ હતી કે જો મોદી ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે. ઉચ્ચ સદનમાં અભિભાષણ અને ખેડૂત આંદોલન પર ચર્ચા શુક્રવારે પૂરી થઈ ગઈ હતી. જો મોદી એવું કરે છે તો તે દેશના સંસદીય ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખશે. આ પહેલા કોઈ પીએમે ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો.
આ પહેલા કોઈ પીએમે ફક્ત રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો
પીએમ મોદી દેશના સંસદીય ઈતિહાસમાં એક નવો ઈતિહાસ લખશે
...તો અનેક વિપક્ષી દળ આ દરમિયાન વોકઆઉટ કરી શકે છે
શું રહ્યો છે ઈતિહાસ
પરંપરા એ છે કે પ્રધાનમંત્રી બન્ને સદનમાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચા બાદ ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપે છે. આજ સુધી ફક્ત 2 જ વાર એવું થયું છે કે જ્યારે પ્રધાનમંત્રીઓએ લોકસભામાં આ ચર્ચામાં ભાગ ન લીધો હોય. પહેલાવાર 1999માં જ્યારે અટલ બિહારી વાજપેઈ પ્રધાનમંત્રી હતા અને બીજી વાર 2009માં જ્યારે મનમોહન સિંહ પીએમ હતા. જો કે બન્ને પ્રસંગે પીએમ રાજ્યસભામાં પણ ભાષણ નહોંતુ આપ્યું. 1999માં ઉપ પ્રધાનમંત્રી લાલકુષ્ણ અડવાણીએ લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવનો જવાબ આપ્યો હતો અને રાજ્યસભામાં કેન્દ્રીય મંત્રી જસવંત સિંહે. 2009માં તત્કાલીન કેન્દ્રીય મંત્રી અને લોકસભાના નેતા પ્રણવ મુખર્જીએ બન્ને સદનમાં જવાબ આપ્યો હતો. તેવામાં ચાર વાર થયું છે જ્યારે પ્રધાનમંત્રીએ ફક્ત નીચલા સદનમાં જવાબ આપ્યો હોય અને રાજ્યસભામાં નહીં.
સોમવારે શું થશે?
લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષમ સાથે જોડાયેલા પ્રસ્તાવને હજું સુધી પારિત નથી કરવામાં આવ્યો. આ એ વાતનો સંકેત છે તે સરકારને આશા છે કે ગતિરોધને ખતમ કરી શકાય છે. પીએમ મોદીને શુક્રવારે લોકસભામાં જવાબ આપવાનો હતો. જોકે હોબાળો એટલો થયો કે કાર્યવાહી સ્થગિત થઈ. હવે સોમવારે સવારે 10.30 વાગે તેમના રાજ્યસભામાં બોલવાનો કાર્યક્રમ નક્કી છે. જો તે એવું કહે છે તો ઈતિહાસમાં પહેલા પીએમ હશે જે લોકસભાની જગ્યાએ ફક્ત રાજ્યસભામાં જવાબ આપશે. જો કે એક શક્યતા એમ પણ છે કે મોદી રાજ્યસભામાં ન બોલે. તે કોઈ વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીને રાજ્યસભામાં મોકલી ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે. જો પીએમ રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ આપે છે તો અનેક વિપક્ષી દળ આ દરમિયાન વોકઆઉટ કરી શકે છે. લોકસભામાં ગતિરોધ યથાવત છે.