પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરાના વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરી. એની સાથે જ પશુઓમાં થતી અલગ અલગ બિમારીઓનો ટીકાકરણ કાર્યક્રમની પણ શરૂઆત કરવામાં આવી.
પશુ આરોગ્ય માટે પીએમએ લૉન્ચ કરી યોજના
કૃત્રિમ ગર્ભાધાન યોજનાની શરૂઆત કરવામાં આવી
યૂપીના મથુરાથી પીએમ મોદીએ લૉન્ચ કરી યોજના
સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગને ખતમ કરવાની ચળવળની શરૂઆત કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરામાં મોટી જાહેરાત કરી છે. પીએમ મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે એ 2 ઓક્ટોબર સુધી પોતાના ઘર, ઓફિસને સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી મુક્ત કરી લે.
Prime Minister Narendra Modi in Mathura: We need to make efforts to rid our homes, offices, and workplaces of single-use plastic by 2nd October, 2019. I appeal to self help groups, civil society, individuals and others to join this mission. pic.twitter.com/0n4MuY1Nmf
પ્રધાનમંત્રીએ કહ્યું કે આજના કાર્યક્રમને પ્લાસ્ટિકના કચરાથી મુક્તિ માટે શરૂ કરવામાં આવ્યો છે. પ્લાસ્ટિકથી પશુઓ, નદીઓ, ઝીલ, તળાવમાં રહેતા પ્રાણીઓને નુકસાન થાય છે. એવામાં આપણે સિંગલ યૂઝ પ્લાસ્ટિકથી છુટકારો મેળવવો પડશે.
સિંગલ યૂઝ પ્લાસ્ટિકને રિસાયકલ કરવામાં આવશે, જે રિસાયકકલ કરવામાં નહીં આવે એનો ઉપયોગ રસ્તો બનાવવામાં કરવામાં આવશે. પીએમ મોદીએ કહ્યું કે જ્યારે તમે ઘરની બહાર સામાન લેવા જાવ તો સાથે થેલો લઇને જાવ, સરકારી ઓફિસમાં હવે પ્લાસ્ટિકની બોટલોની જગ્યાએ માટીના વાસણોની વ્યવસ્થા થાય.
Mathura: PM Modi inaugurates ‘Swachhta Hi Seva’ Programme 2019, National Animal Disease Control Programme (NADCP), & National Artificial Insemination Programme. He also launched 16 projects of Uttar Pradesh government related to livestock, tourism and road construction. pic.twitter.com/rFHQk7cBcH
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે મથુરાના વેટરનરી વિશ્વવિદ્યાલયમાં પશુ આરોગ્ય મેળાની શરૂઆત કરી. એની સાથે જ પશુઓમાં થનારી અલગ અલગ બિમારીઓના ટીકાકરણના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. પીએમ મોદીએ દેશભર માટે 40 મોબાઇલ પશુ દવાખાનાને લીલી ઝંડી દેખડીને રવાના કર્યા. સાથે જ પ્રધાનમંત્રી તરફથી સિંગલ યૂઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવા માટે પણ તમામને અપીલ કરવામાં આવી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ પણ હાજર રહ્યા.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ પોતાના સંબોધનની શરૂઆત બ્રજ ભાષામાં કરી અને લોકસભા ચૂંટણીમાં સમર્થન માટે લોકોને ધન્યવાદ કર્યું. પીએમએ કહ્યું કે ભારતને ભગવાન કૃષ્ણથી પર્યાવરણને બચાવવાની પ્રેરણા મળે છે. પીએમએ કહ્યું કે દૂધ, દહીં, માખણ, પ્રકૃતિ, પર્યાવરણ વગર બાલગોપાલની કલ્પના કરી શકાય નહીં.
PM મોદી બોલ્યા કે સ્વચ્છ ભારત, જળ જીવન મિશન બાદ હવે પ્રકૃતિ વિકાસમાં સંતુલન બનાવીને આપણે નવા ભારતના નિર્માણ તરફ આગળ વધી રહ્યા છે.
કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે નેશનલ એનિમલ ડિસીઝ કંટ્રોલ પ્રોગ્રામને પણ લૉન્ચ કરવામાં આવ્યો છે. પશુઓના સ્વાસ્થ્ય, સંવર્ધન, પોષણ અને ડેરી ઉદ્યોગથી જોડાયેલી કેટલીક અન્ય યોજનાઓ પણ શરૂ થઇ છે.