PM મોદી આજે આકાશવાણી પર કાર્યક્રમ 'મન કી બાત'માં દેશમાં CAAના વિરોધની વચ્ચે PM મોદીએ યુવાઓને સંબોધીને નિવેદન આપ્યું છે. આ સાથે જ તેઓએ સ્વદેશી વસ્તુઓ વાપરવા પર ભાર મૂક્યો છે. હિમાયત કાર્યક્રમની પ્રશંસા કરી અને તેની કામગીરીને પણ વખાણી. સૂર્યગ્રહણ વિશે પણ પીએમ મોદીએ પોતાના વક્તવ્યમાં ઉલ્લેખ કર્યો અને ખગોળ વિજ્ઞાનની વાત કરી.
પ્રધાનમંત્રીના મનની વાત
`મન કી બાત'નો 60મો એપિસોડ
સ્વદેશી ચીજો વાપરવા પર મૂક્યો ભાર
જમ્મૂ કાશ્મીરના હિમાયત પ્રોગ્રામનો પણ ઉલ્લેખ કર્યો
પીએમ મોદીએ જમ્મૂ કાશ્મીરના હિમાયત પ્રોગ્રામનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેઓએ કહ્યું કે આ કાર્યક્રમના કારણે 18000 યુવાઓને ટ્રેનિંગ મળી જ્યારે 5000 યુવાઓને રોજગારી મળી છે. આ કાર્યક્રમ સ્કીલ ટ્રેનિંગ સાથે જોડાયેલો છે.
પીએમ મોદીએ સ્વામી વિવેકાનંદને પણ કર્યા યાદ
સ્વામી વિવેકાનંદનો ઉલ્લેખ કરીને કહ્યું કે તેઓ કહેતા હતા કે યુવાવસ્થાની કિંમતને આંતી શકાતી નછી. આ જીવનનું સૌથી મૂલ્યવાન કાળ હોય છે, તમારું જીવન તેની પર જ નિર્ભર છે કે તમે તમારી યુવાવસ્થાનો ઉપયોગ કઈ રીતે કરો છો.
એલ્યુમિની કાર્યક્રમનો પણ કર્યો ઉલ્લેખ
પીએમ મોદીએ કહ્યું કે આપણે અલગ અલગ જગ્યાઓએ અભ્યાસ કરીએ છીએ પણ અભ્યાસ પૂરો થયા બાદ એલ્યુમિની મીટનો રોચક કાર્યક્રમ હોય છે. આ સમયે જો તેમાં કોઈ સંકલ્પ જોડાય તો તે સુંદર બને છે.
બિહારમાં યોજાયેલા કેમ્પને વખાણ્યો
બિહારના પશ્ચિમ ચંપારણના સ્વાસ્થ્ય કેન્દ્રમાં ફ્રી ચેકઅપની સુવિધા. સ્થાનિક હાઈસ્કૂલના પૂર્વ વિદ્યાર્થીઓએ યોજ્યો. સંકલ્પ 95 નામે કેમ્પ યોજાયો. જેમાં 1995ની બેચના વિદ્યાર્થીઓએ આ કેમ્પ યોજ્યો. અને લોકોએ તેનો લાભ લીધો. આ કેમ્પ પછી અભિયાનની રીતે ચાલુ થયો. તે એક અલગ મિસાલ બન્યો. નાગરિકો 1 પગલું આગળ વધે છે તો દેશ 135 કરોડ પગલાં આગળ વધે છે. પ્રેરણા વધે છે અને કામ સારી રીતે થઈ શકે છે.
દેશના યુવાઓને માટે કર્યું આ સંબોધન
દેશમાં CAAના વિરોધની વચ્ચે PM મોદીએ યુવાઓને સંબોધીને નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે આજના યુવાનો સિસ્ટમને ફોલો કરવાનું પસંદ કરે છે. સિસ્ટમમાંથી કોઈ જવાબ ન મળે તો તે વ્યાકુળ બને છે. યુવાનો હિંમતની સાથે સિસ્ટમ સામે પણ પ્રશ્નો કરે છે. યુવાનોની આ પહેલ સારી છે. દેશના યુવાઓને અરાજકતાથી નફરત છે. તેઓ પરિવારવાદ અને જાતિવાદને પસંદ કરતા નથી.
આ કાર્યક્રમનું પ્રસારણ સવારે 11 વાગે કરવામાં આવશે. આકાશવાણી તેને પ્રાંતિય ભાષાઓમાં પ્રસારિત કરશે.
ઉલ્લેખનીય છે કે 16 ડિસેમ્બરે PM મોદીએ જનતાની પાસે આ માટે વિચાર માંગ્યા હતા. તેઓએ ટ્વિટ કરીને કહ્યું હતું કે આ મહિને મન કી બાત 29 ડિસેમ્બરે થશે. આ માટે તમારા વિચાર અને સૂચનો આવકાર્ય છે.
Share your ideas and suggestions for this month’s #MannKiBaat, which will take place on the 29th.
Dial 1800-11-7800 to record your message, write on the NaMo App Open Forum or on MyGov. https://t.co/YBbbSTdP7i
આ અગાઉની મન કી બાત 24 ડિસેમ્બરે પ્રસારિત કરવામાં આવી હતી. આ રેડિયો સંબોધનની મદદથી PM મોદી દેશની સામે અલગ અલગ મુદ્દાઓ રજૂ કરે છે. છેલ્લી મન કી બાતમાં તેઓએ ફિટ ઇન્ડિયા મૂવમેન્ટથી લઈને પ્લાસ્ટિક મુક્ત ભારત અને અયોધ્યા મંદિરને લઈને સુપ્રીમ કોર્ટના નિર્ણયનો પણ ઉલ્લેખ કર્યો હતો.