પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિકવર થયેલા દર્દી સાથે ટેલિફોનિક વાતચીત કરી. પીએમ મોદીએ લોકડાઉન વચ્ચે બહાર નીકળી રહેલા લોકોને લઇને કહ્યું કે કેટલાક લોકો સ્થિતિને ગંભીરતાથી લઇ રહ્યાં નથી. કેટલાંક લોકો લોકડાઉનના નિયમ તોડી રહ્યાં છે, તમારી સમસ્યા હું સમજી રહ્યો છું.
મન કી બાતમાં કોરોના મુદ્દે PM એ કરી વાત
કોરોના મુદ્દે PM મોદી 2 વખત કરી ચૂક્યાં છે રાષ્ટ્રજોગ સંબોધન
કોરોના સંક્રમણથી રિકવર થયેલા અશોક કપૂર સાથે ટેલિફોનિક વાતચીત કરી. આગ્રાના અશોક કપૂર હાલ સંપૂર્ણ સ્વસ્થ થઇ ઘરે પહોંચ્યાં છે. તેમણે કહ્યું મારા પરિવારમાંથી 6 લોકો સંક્રમિત હતા. પરિવારના તમામ લોકો માટે અલગ-અલગ વોર્ડમાં રખાયા હતા.
પીએમ મોદીએ ડોકટર સાથે ટેલિફોનિક પર વાતચીત કરી. ડોકટર નીતેશ ગુપ્તા સાથે પીએમ મોદીએ ટેલિફોનિક વાતચી કરી. પીએમ મોદીએ કહ્યું ડોકટરોએ પ્રથમ પંક્તિએ મોરચો સંભાળ્યો છે. ડોકટરેએ કહ્યું કોરોના ગ્રસ્ત દર્દીઓ હિંમત રાખે.
પીએમએ કહ્યું કે કોરોના સામે લડવા મારે આ પગલા લેવા પડ્યા છે. આ વાયરસ જીવલેણ છે. લોકડાઉન આપણા અને આપણા પરિવાર માટે છે. કોરોના વાયરસે લોકોને ઘરમાં કેદ કર્યા છે. કોરોના વાયરસ માનવાજાતિનો મોટો દુશ્મન છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત દરમિયાન કહ્યું કે દેશ અને દુનિયામાં કોરોનાની વાતચીત થઇ રહી છે. હું તમામ દેશવાસીઓ પાસે માફી માગુ છું. મારા કારણે દેશવાસીઓને કેટલીક તકલીફો પડી રહી છે.
દુનિયાભર સહિત ભારતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા બે વખત રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. જો કે આ વચ્ચે પીએમ મોદી દ્વારા દર મહિનાના છેલ્લા રવિવારે કરવામાં આવી રહેલ મન કી બાત કરવામાં આવી રહી છે.
પીએમ મોદીના મન કી બાતના મુખ્ય મુદ્દાઓ
સોશિયલ ડિસટન્સ વધારો, ઇમોશનલ ડિસ્ટન્સ ઘટાડો
બેકિંગ સેવાઓ ચાલુ છે, બેકિંગ કર્મચારીઓ બેંકમાં આવે છે