કોરોના વાયરસના કહેરને લઇને દેશમાં હાલ લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે આજે મહીનાના છેલ્લા રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રેડિયો પર મનની વાત દ્વારા દેશની જનતાને સંબોધન કરી રહ્યાં છે. આયુષય મંત્રાલેય જે દિશા-નિર્દેશ કર્યાં છે તે દિનચર્યામાં સામેલ કરો. આપણે આપણી જ શક્તિ પર વિશ્વાસ નથી કરી રહ્યાં. વિશ્વએ યોગને સહજ રીતે અપનાવ્યો છે. ભારતના આયુર્વેદને પણ દુનિયા સહજ રીતે સ્વીકારશે.
આજે અક્ષયતૃતિયાનો પવિત્ર પર્વ પણ છે. આજના આકરા સમયમાં આ દિવસ મહત્વનો છે. જૈન સમાજ પણ અક્ષયતૃતિયાને પર્વ તરીકે માને છે. કોરોના સંકટના કારણે માસ્ક પણ જીવનજરિયાત વસ્તુ બની ગયું છે. માસ્કને લઇને પણ આગામી સમયમાં ધારણા બદલાશે. બીમારીથી બચવા અને બીજાને બચાવવા માસ્ક પહેરવું ફરજિયાત છે.
લોકોએ લોકડાઉનના નિયમોનું પાલન કર્યું
ગત દિવસોમાં આપણે ત્યાં સર્વધર્મોના તહેરાવોનું ઉજવણી કરવામાં આવી. આપણે જોયું કે લોકોએ આ તહેવારોમાં ઘરે રહીને સાદગીથી મનાવ્યો. લોકડાઉનના નિયમોનું પાલન કર્યું. આ વખતે આપણા ઇસાઇ ભાઇઓએ ઇસ્ટરને પણ ઘરમાં રહીને મનાવ્યો.
રમઝાનને બનાવી સેવા ભાવનું પ્રતિક
રમઝાનના પવિત્ર માસની પણ શરૂઆત થઇ ચુકી છે.ફિઝિકલ ડિસ્ટન્સનું પાલન પણ ખૂબ જરૂરી છે. કોરોનાએ ભારતની સાથે દુનિયામાં ઉજવણીના રંગરૂપ બદલી નાંખ્યાં છે. આ અવસર છે કે આ રમઝાનમાં સંયમ, સદ્દભાવના, સંવેદનશીલતા અને સેવા-ભાવનું પ્રતિક બનાવીએ.
આરોગ્યકર્મીઓની રક્ષા કરવા જરૂરી હતી
રાજ્ય સરકારે કોરોના મહામારી સામે સક્રિય કામગીરી કરી રહી છે. આજે નાગરિકો કોવિડ વોરિયર્સને સન્માન આપી રહ્યાં છે. પોલીસકર્મીઓ જરૂરિયાત મંદોને દવા- ભોજન પહોંચાડી રહ્યાં છે.
લાઇફલાઇન ઉડાન દેશભરમાં પહોંચાડી રહી છે મેડિકલ સામગ્રી
દેશના દરેક ભાગમાં દવાઓ પહોંચાડવા માટે લાઇફલાઇન ઉડાન નામનું એક વિશેષ અભિયાન ચલાવામાં આવી રહ્યું છે. 500 ટનથી વધારે મેડિકલ સામગ્રી દેશના ખુણે-ખુણામાં પહોંડવામાં આવી રહ્યું છે. આજે દેશમાં રેલવે 100થી વધુ પાર્સલ ટ્રેન ચલાવી લઇ રહી છે.
આજે દેશ એક લક્ષ્ય પર ચાલી રહ્યો છે
ગરીબોના ભોજનને લઇને, રાશન, લોકડાઉનના પાલન, હોસ્પિટલની વ્યવસ્થા, મેડિકલ ઇક્વિપમેન્ટનુ દેશમાં જ નિર્માણ, આજે પૂરો દેશ, એક લક્ષ્ય, એક દિશામાં સાથે-સાથે ચાલી રહ્યો છે.
દેશનો દરેક નાગરિક કોરોના વોરિયર્સ
સરકારે નાગરિકો માટે કોવિડ વોરિયર્સ પ્લેટફોર્મ તૈયાર કર્યું છે.. ડિજિટલ પ્લેટફોર્મથી દોઢ કરોડ લોકો તંત્ર સાથે જોડાયાં. નાગરિકો ડિજિટલ પ્લેટફોર્મના માધ્યમથી કોરોના વોરિયર્સ બની શકે છે. તમામ દેશવાસીઓએ સંકલ્પ શકિત જગાવી છે. પીએમ મોદીએ કહ્યું કે આપણે ભાગ્યશાળી છીએ કે આજે સંપૂર્ણ દેશ, દેશનો દરેક નાગરિક, એક-એક વ્યક્તિ કોરોના સામેની લડાઇનો સિપાહી છે.
દેશનો દરેક નાગરિક કોરોના સામે લડી રહ્યો છે લડાઇ
પીએમ મોદીએ કહ્યું કે નાગરિકો પોતાની જવાબદારી પ્રમાણે કામ કરી રહ્યાં છે. લોકોએ પોતાની જવાબદારી જાતે સંભાળી છે. નાગરિકોના જુસ્સાથી દેશને શક્તિ મળી છે. કોરોના સામેની જંગ સામે ભારત દેશ એક ટીમ બનીને કામ કરી રહ્યો છે.
આ અગાઉ મનની વાતના સંબોધન પહેલા સવારે પીએમ મોદીએ ટવિટ કરી આ મનની વાતના કાર્યક્રમને લઇને લોકોના કેટલાંક વ્યવહારિક સુચનો મળ્યાં છે. કોરોનાને લઇને દેશમાં લોકડાઉન 3 મેના રોજ પુરુ થઇ રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ વર્ષનું ચોથુ અને મનની વાતની કુલ 64માં સંસ્કરણ દ્વારા સંબોધન કરી રહ્યાં છે. આ અગાઉ પીએમ મોદીએ 12મી એપ્રિલે ટ્વિટ કરી જણાવ્યું હતું કે તેઓ આ મહીનાની મનની વાત 26 તારીખે કરશે અને તેને લોકો પાસે સૂચનો મંગાવ્યાં હતા.