પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે (25 ઓગસ્ટ)ના પોતાના રેડિયો પ્રોગ્રામ 'મન કી બાત' ની મદદથી દેશને સંબોધિત કર્યો
આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મહત્વના વિષયો પર વાત કરી. PM મોદીએ ભગવાન શ્રી કૃષ્ણ અને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને યાદ કર્યા. આ સાથે જ સ્વચ્છતા અભિયાન, ફિટ ઇન્ડિયા સહિત ઘણા મુદ્દાઓ પર પોતાની વાત મૂકી. તેમણે કહ્યુ કે, ''ગત દિવસોમાં આપણે ઘણા તહેવારોની ઉજવણી કરી. શનિવારે દેશમાં શ્રીકૃષ્ણના જન્મની ઉજવણી થઇ, મિત્રતા એવી હોવી જોઇએ કે સુદામા વાળી ઘટના યાદ આવી જાય અને યુદ્ઘ ભૂમિમાં ઘણી સારી મહાનતા હોવા છતાં સારથી બન્યા.'' 'મન કી બાત' માં પ્રધાનમંત્રીએ કહ્યુ કે, ''આજે ભારત વધુ એક ઉત્સવની તૈયારીમાં છે અને તે મહાત્મા ગાંધીને 150મી જયંતી.''
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ગાંધીજીએ ખેડૂતોની સેવા કરી, જેમની સાથે ચમ્પારણમાં ભેદભાવ થતો હતો. ગાંધીજીએ ગરીબ, નબળા લોકોની સેવાને પોતાના જીવનનું પરમ કર્તત્વ માન્યુ. PM મોદીએ કહ્યુ કે, ''ગાંધીજીના સેવા શબ્દોમાં નહી પરંતુ કરીને બતાવી છે. સત્યની સાથે ગાંધીજીનો અતૂટ સંબંધ રહ્યો, સેવાની સાથે તેમનો અનન્ય અતૂટ સંબંધ છે.''
आपसे बात कर रहा हूँ, तो, दो मोहन की तरफ, मेरा ध्यान जाता है | एक सुदर्शन चक्रधारी मोहन, तो दूसरे चरखाधारी मोहन: PM pic.twitter.com/tLEbtDMfQ2
PM મોદીએ કહ્યુ કે, ''મહાત્મા ગાંધી અગણિત ભારતીયોના અવાજ બન્યા, પરંતુ માનવ મૂલ્ય અને માનવ ગરિમા માટે એક રીતે દુનિયાની અવાજ બની ગયા. ગત વર્ષોમાં 2 ઓક્ટોબરથી પહેલા લગભગ 2 અઠવાડિયા સુધી દેશભરમાં સ્વચ્છતાની સેવાના અભિયાન ચાલ્યા. આ વખતે 11 સપ્ટેમ્બરથી શરૂ થશે.''
'પ્લાસ્ટિક વિરુદ્ઘ નવુ જનાઆંદોલન'
आज, जागरूकता के आभाव में, कुपोषण से ग़रीब भी, और संपन्न भी, दोनों ही तरह के परिवार प्रभावित हैं | पूरे देश में सितम्बर महीना ‘पोषण अभियान’ के रूप में मनाया जाएगा | आप जरुर इससे जुड़िये, जानकारी लीजिये, कुछ नया जोड़ियें: PM #MannKiBaatpic.twitter.com/xRrZwSo6VB
PM મોદીએ કહ્યુ કે, આ વખતે 2 ઓક્ટોબરે જ્યારે બાપૂની 150મી જન્મજયંતી ઉજવવામાં આવશે ત્યારે અમે માત્ર ખુલ્લામાં શૌચથી મુક્ત ભારત સમર્પિત નહી કરીએ સાથે જ આ દિવસે દેશમાં પ્લાસ્ટિક વિરુદ્ઘ એક નવા જનાઆંદોલનની શરૂઆત કરીશું. આજે જાગરૂકતા ના હોવાને કારણે કુપોષણથી ગરીબ તથા સંપન્ન બંને પરિવારો પ્રભાવિત થાય છે. દેશભરમાં સપ્ટેમ્બર મહિનાને 'પોષણ અભિયાન' થી ઉજવવામાં આવશે.
Man vs Wild નો કર્યો ઉલ્લેખ:
मुझे आशा है कि ‘Man Vs Wild’ कार्यक्रम भारत का सन्देश, भारत की परंपरा, भारत के संस्कार यात्रा में प्रकृति के प्रति संवेदनशीलता, इन सारी बातों से विश्व को परिचित कराने में ये episode बहुत मदद करेगा ऐसा मेरा पक्का विश्वास बन गया है: PM #MannKiBaatpic.twitter.com/9mHTPeBM3d
'મન કી બાત' દરમિયામ પીએમ મોદીએ Man vs Wild નો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યુ કે, ''ભારતનો સંદેશ, ભારતની પરંપરા, સંસ્કાર યાત્રામાં પ્રકૃતિના પ્રતિ સંવેદનશીલતા, આ તમામ વાતનો વિશ્વમાં રૂબરૂ કરાવવા માટે આ એપિસોડ ખૂબ જ મદદ કરશે, તેવો મને વિશ્વાસ છે. ઘણા લોકો જાણવા ઇચ્છશે કે ,બેયર ગ્રિલ્સે મારી હિંદી કેવી રીતે જાણી. લોકો પૂછે છે, શું આ એડિટ કરવામાં આવ્યુ છે કે પછી કેટલી વખત શૂટ કરવામાં આવ્યુ છે. બેયર ગ્રિલ્સ અને મારી વચ્ચે ટેક્નોલોજીએ પુલ જેવુ કામ કર્યુ છે. તેની પાસે એક કૉર્ડલેસ ડિવાઇસ હતુ અને હું હિંદીમાં બોલતો હતો તેમને અંગ્રેજીમાં ટ્રાન્સલેટ થઇને સંભળાતુ હતુ.''
શરૂ કરશે ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ:
PM મોદીએ કહ્યુ કે, અમે જલ્દીથી ટાર્ગેટ પૂરા કરીશું. અમે 2019માં વાધની સંખ્યા બમણી કરી દીધી છે. ભારતમાં વાધની સંખ્યા એટલી ન હતી પરંતુ સંરક્ષિત વિસ્તારોમાં અને કમ્યૂનિટી રિઝર્વની સંખ્યા વધી છે. ભારતમાં વાધની વસ્તી 2967 છે. 29 ઓગસ્ટના રાષ્ટ્ર ખેલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે આપણે દેશમાં 'ફિટ ઇન્ડિયા મૂવમેન્ટ'ની શરૂઆત કરીશું.