પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, કેવી રીતે કોરોનાકાલમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવામાં આવ્યુ છે.
રાજ્યસભામાં સંવાદ કરી રહ્યા છે પીએમ મોદી
કોરોનાકાળમાં કરેલા કામો રજૂ કરી રહ્યા છે વડાપ્રધાન
પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર કર્યા આકરા પ્રહાર
પ્રધાનમંત્રી મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપી રહ્યા છે. પીએમ મોદીએ આ દરમિયાન જણાવ્યું હતું કે, કેવી રીતે કોરોનાકાલમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરવામાં આવ્યુ છે. આ અગાઉ પીએમ મોદીએ સોમવારે લોકસભામાં સંબોધન કર્યું હતું.
પીએમ મોદીએ રોજગાર પર જણાવ્યું છે કે, 2021માં એક કરોડ 20 લાખ લોકો EPFO સાથે જોડાયા છે. આ બધી ફોર્મલ જોબ છે. તેમાંથી 65 લાખ 18-25 વર્ષના એટલે કે, આ લોકોએ પહેલી વાર જોબ માર્કેટમાં એન્ટ્રી કરી છે. કોવિડ પ્રતિબંધો હટ્યા બાદ હાયરિંગ બે ગણી થઈ ગઈ છે.
કોંગ્રેસ પર કર્યા આકરાં પ્રહાર
સદનમાં કહ્યું હતું કે, કોંગ્રેસે ભારતનો પાયો નાખ્યો, અમુક લોકો એવું માને છે કે, હિન્દુસ્તાન 1947માં જન્મ્યુ. આ માનસિકતાના કારણે જ તકલીફો આવી અને જે લોકોને 50 વર્ષ કામ કરવાનો મોકો મળ્યો તેમણે કંઈ કર્યું નહીં. 1975માં લોકતંત્રનું ગળુ દબાવવાનું કામ કરનારાઓને લોકતંત્ર પર બોલવું જોઈએ નહીં. કોંગ્રેસે ડાયનેસ્ટીથી આગળ વિચાર્યું જ નથી. ભારતના લોકતંત્રને સૌથી મોટો ખતરો છે, પરિવારવાદની પાર્ટીઓથી. એ માનવું પડશે. પાર્ટીમાં પણ જ્યારે કોઈ સર્વૌપરિ થઈ જાય છે, તો સૌથી પહેલા કૈજ્યુલ્ટી ટેલેન્ટની થાય છે.
અમે દેશના ગરીબોની રક્ષા કરીશું
રાજ્યસભામાં પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મને નવાઈ લાગે છે કે, અમુક માનનીય સભ્યોએ કહ્યું કે, ભારતનું રસીકરણ અભિયાન કોઈ મોટી વાત નથી. સાથે જ હું તમામને ભરોસો અપાવા માગુ છુ કે, જ્યાં સુધી મહામારી છે, અમે દેશના ગરીબોની રક્ષા કરીશું.
'व्याप्त हुआ बर्बर अंधियारा
किंतु चीर कर तम की छाती
चमका हिंदुस्थान हमारा।'
પીએમ મોદીએ પોતાના ભાષણમાં કહ્યું કે, કોરોના એક વૈશ્વિક મહામારી છે અને છેલ્લા 100 વર્ષમાં માનવ જાતિએ આટલું મોટુ સંક્ટ જોયું નથી. હજૂ પણ આ સંકટ નવું નવું રૂપ લઈને આફત બની રહ્યું છે. સમગ્ર દુનિયા તેની સામે ઝઝૂમી રહી છે. પીએમ મોદીએ કોરોના વેક્સિનેશન પ્રોગ્રામના વખાણ કરતા કહ્યું કે, આજે સમગ્ર વિશ્વમાં ભારતના કામના વખાણ થઈ રહ્યા છે .
ગરીબોને રાશન આપવાનું કામ કરવામાં આવ્યું. આ કોરોનાકાળમાં 80 કરોડથી વધારે લોકો મફક રાશન આપીને દુનિયાની સામે મજબૂત ઉદાહરણ રજૂ કર્યું છે. ગરીબ લોકોને ઘરનું ઘર આપવાનું કામ અમારી સરકાર કરે છે .
કોરોના કાળમાં પાંચ કરોડ ગરીબ પરિવારને નળથી જળ પહોંચાડવાનું કામ કરવામા આવ્યું છે.
ખેડૂતોના પાકને ટેકાભાવે ખરીદી કરવામાં આવી છે.
સરકારે નક્કી કર્યું છે કે, 200 કરોડ સુધીના ટેન્ડર બહારના લોકોને આપવામાં આવશે નહીં. જેનાથી દેશના MSME સેટ્કરને પણ મોટો ફાયદો મળશે.
કોરોનાકાળમાં આ બે સેક્ટર પર સરકારનું ખાસ ફોક્સ
પીએમ મોદીએ જણાવ્યું છે કે, કોરોનાકાળમાં MSME સેક્ટર અને ખેતી પર સરકાર ખાસ ફોકસ કર્યુ છે. ખેડૂતોને વધારે MSP મળે, પૈસા સીધા બેંક ખાતામાં જમા થાય. પંજાબના લોકોને મેં કેટલાય વીડિયોમાં જોયા છે, તેમણે કહ્યું છે કે, આપણી મહેનત તો એટલી છે, ખાતામાં રૂપિયા ડાયરેક્ટ આવી રહ્યા છે, તે પહેલી વાર જોયું છે.