પીએમ નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે બોર્ડર પર તૈનાત જવાનોની સાથે દિવાળી મનાવે છે. પીએમ નરેન્દ્ર મોદી રાજસ્થાનના જૈસલમેર બોર્ડરમાં પહોંચી ચૂક્યા છે. પીએમ મોદીની સાથે સીડીએસ બિપિન રાવત, આર્મી ચીફ એમએમ નરવણે અને બીએસએફના ડીજી રાકેશ અસ્થાના હાજર છે.
એક દિવો સીમા પર તૈનાત જવાનોના નામે પ્રગટાવે
સીમા પર તૈનાત જવાનોના પરિવારના પણ આભારી છીએ
આર્મી ડ્રેસમાં પીએમ મોદી જવાનોની વચ્ચે પહોંચ્યા છે
This Diwali, let us also light a Diya as a #Salute2Soldiers who fearlessly protect our nation. Words can’t do justice to the sense of gratitude we have for our soldiers for their exemplary courage. We are also grateful to the families of those on the borders. pic.twitter.com/UAKqPLvKR8
ઉલ્લેખનીય છે જૈસલમેરમાં ભારત-પાકિસ્તાનની સીમા મળે છે. અહીં બોર્ડર પર બીએસએફની તૈનાતી છે. સુપ્રસિદ્ધ તનોટ માતાનું મંદિર પણ અહીં છે. ગત વર્ષ 27 ઓક્ટોબર 2019એ પીએમ નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં જવાનોની સાથે દિવાળી મનાઈ હતી. આર્મી ડ્રેસમાં પીએમ મોદી જવાનોની વચ્ચે પહોંચ્યા છે તેમની વચ્ચે મીઠાઈ પણ વહેંચી હતી.
આ પહેલા 2018માં પીએમ મોદીએ ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં સેના અને આઈટીબીપીના જવાનોની વચ્ચે દિવાળી મનાવી હતી. નરેન્દ્ર મોદીએ દિવાળીના તહેવાર પર દેશવાસીઓને અપીલ કરી હતી કે તે એક દિવો સીમા પર તૈનાત જવાનોના નામે પ્રગટાવે. પીએમ મોદીએ ટ્વીટ કરી રહ્યું કે આ દિવાળી આવો એક દિવો સેલ્યૂટ ટૂ સોલ્જર્સની રીતે પ્રગટાવીએ. સૌનિકોના અદભૂત સાહસને લઈને આપણા દિલમાં જે આભાર છે તેમને શબ્દોમાં વર્ણવી નથી શકતા. આપણે સીમા પર તૈનાત જવાનોના પરિવારના પણ આભારી છીએ.
ઉલ્લેખનીય છે કે લોંગવાલા દેશના સેન્ય ઈતિહાસમાં મહત્વનું સ્થાન ધરાવે છે આ એ સ્થળ છે જ્યાં 1971માં ભારતે પાકિસ્તાનને યુદ્ધમાં હરાવ્યું હતુ. 4 ડિસમ્બર 1971ની લડાઈમાં લોંગવાલા પોસ્ટ પર તૈનાત 120 ભારતીય સૈન્યએ 40-45 ટેંક પર કબ્જો કરવા આવેલા 3 હજાર પાકિસ્તાની જવાનોને હરાવી ઈતિહાસ રચ્યો હતો. પાકિસ્તાનને અહીં પોતાની 34 ટેન્ક, 500 વાહનો અને 200 જવાનોથી હાથ ધોવા પડ્યા હતા. પરંતુ આ ચૌકી અવિજેય રહી હતી.