PM મોદી શુક્રવારે ઉત્તર પ્રદેશના લગભગ 40 ભાજપ સાંસદોની સાથે બેઠક કરી શકે છે.
40 ભાજપ સાંસદોની સાથે બેઠક કરી શકે છે પીએમ મોદી
રાજ્યના બાકીના સાંસદોની સાથે બાદમાં બેઠક કરશે
પીએમએ હાલમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી
40 ભાજપ સાંસદોની સાથે બેઠક કરી શકે છે પીએમ મોદી
PM મોદી શુક્રવારે પોતાના સત્તાવાર આવાસ પર ઉત્તર પ્રદેશના લગભગ 40 ભાજપ સાંસદોની સાથે બેઠક કરી શકે છે. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષની શરુઆતમાં પ્રસ્તાવિત વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ બેઠકને મહત્વની માનવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બેઠકમાં પીએમ મોદી સાંસદોની સાથે આગામી ચૂંટણીને લઈને રણનીતિ પર ચર્ચા કરી શકે છે.
રાજ્યના બાકીના સાંસદોની સાથે બાદમાં બેઠક કરશે
સૂત્રોના જણાવ્યાનુંસાર સાંસદે ચાલુ શિયાળુ સત્ર દરમિયાન પીએમ મોદીની વિભિન્ન રાજ્યોના ભાજપ સાંસદોની સાથે આ ચૌથી બેઠક હશે. તેમણે જણાવ્યું કે અત્યાર સુધી મોદી પૂર્વોત્તર રાજ્યો, દક્ષિણી રાજ્યો અને મધ્ય પ્રદેશના સાંસદોની સાથે બેઠક કરી ચૂક્યા છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર પીએમની શુક્રવારે ઉત્તર પ્રદેશના લગભગ 40 ભાજપના સાંસદોની સાથે બેઠક નક્કી છે અને રાજ્યના બાકીના સાંસદોની સાથે બાદમાં બેઠક કરશે.
પીએમએ હાલમાં ભાજપ શાસિત મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી
પીએમ મોદીએ હાલમાં જ વારાણસીમાં કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ધાટન કર્યુ હતુ. આ સાથે તેમણે પોતાના સંસદીય વિસ્તારમાં ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક પણ કરી હતી. યૂપીની આગામી ચૂંટણી માટે ભાજપ પુરી તાકાતથી મેદાનમાં ઉતરી ચૂક્યું છે. આ માટે વરિષ્ઠ નેતા, પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહ પોતે અભિયાનમાં ભાગ લેશે.
અમિત શાહ પણ યુપીનો સતત પ્રવાસ કરી રહ્યા છે
રાજ્યમાં ભાજપને મજબૂત બનાવી રાખવા માટે પીએમ નરેન્દ્ર મોદી ગત કેટલાક મહિનાઓમાં યુપીના અનેક પ્રવાસ કરી ચૂક્યા છે. તે સીએમ યોગીની સાથે બેઠક કરી ચૂક્યા છે. એવું મનાઈ રહ્યું છે કે બન્ને વચ્ચે મહત્વના મુદ્દા પર ચર્ચા થઈ હતી. ગૃહ મંત્રી અમિત શાહ પણ યુપીનો સતત પ્રવાસ કરી રહ્યા છે. તે શુક્રવારે લખનૌમાં ‘સરકાર બનાઓ અધિકાર પાઓ’ રેલી પણ કરવા જઈ રહ્યા છે. ભાજપ અને નિષાદ પાર્ટીની આ સંયુક્ત રેલી શુક્રવારે બપોરે 1 વાગે રમાબાઈ આંબેડકર મેદાનમાં થશે.