દેશમાં અતિ ઝડપથી ફેલાઈ રહેલા કોરોનાની વચ્ચે પ્રધાનમંત્રી મોદી આવતીકાલે એક મોટું કામ કરી રહ્યાં છે.
ગુરુવારે PM મોદી રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કરશે મોટી બેઠક
સાંજના 4.30 વાગ્યે યોજાશે બેઠક
કોરોનાની સ્થિતિ પર કરશે ચર્ચા
દેશમાં કોરોનાની ત્રીજી લહેર ઉગ્ર બની છે ત્યારે પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સાંજના 4.30 વાગ્યે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે એક મોટી કોરના બેઠક કરવા જઈ રહ્યાં છે. મહામારીમાં પીએમ મોદીની આ મોટી બેઠક મનાઈ રહી છે કારણ કે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ તેમાં સામેલ થશે અને પીએમને રિપોર્ટ કરશે. પીએમ પણ તેમની પાસેથી રાજ્યોના હાલચાલ જાણશે તથા જરુરી સૂચનો આપશે.
PM Modi will interact with CMs of all states tomorrow at 4:30 pm via VC on Covid-19 situation
તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોરોનાની સ્થિતિની કરશે ચર્ચા
પ્રધાનમંત્રી મોદી ગુરુવારે સાંજના 4.30 કલાકે કોરોનાની સ્થિતિને લઈને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરશે. આ પહેલા કોરોના મહામારીની ત્રીજી લહેરની વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયના સિનિયર અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરીને દેશમાં વકરી રહેલી કોરોનાની સ્થિતિની ચર્ચા કરી હતી. સમીક્ષા બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સ્વાસ્થ્ય મંત્રી માંડવિયા, કેબિનેટ સચિવ રાજીવ ગાબા, ગૃહસચિવ અજય ભલ્લા, સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભુષણ, ICMRના ડીજી સહિત ઘણા અધિકારીઓ હાજર રહ્યાં હતા.
પ્રધાનમંત્રી કરી હતી ત્રીજી સમીક્ષા બેઠક
આજની બેઠકની ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ 26 નવેમ્બર અને 22 ડિસેમ્બરે કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી હતી. બન્ને મીટિંગમાં પ્રધાનમંત્રીએ ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટ પર ખાસ ભાર મૂક્યો હતો. તેમણે દવાઓ અને ઓક્સિજનની ઉપલબ્ધતા અંગે પણ નિર્દેશ આપ્યો હતો. બેઠકમાં પીએમ મોદીએ રિમોટ એરિયામા વેક્સિન અને દવાના સપ્લાય માટે આઈટી ટૂલ્સનો વધારેમાં વધારે ઉપયોગ કરવાનું જણાવ્યું હતું.