કેટલાક દિવસો પહેલાં ભારત સરકારે જમ્મૂ કાશ્મીર પર જે નિર્ણય લીધો છે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરીકી શાસનની તરફથી જે નિવેદનો આપવામાં આવ્યા છે અને તેમની વચ્ચે જે મુલાકાતો થઈ છે તે મહત્વની બને છે. ટ્રમ્પ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની વાત કરતા આવ્ય છે અને સાથે જ પોતાના નિવેદનોથી પલટી પણ મારી રહ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ફ્રાન્સમાં છે અને સાથે જ ત્યાં ચાલી રહેલી G7 સમિટમાં અતિથિ તરીકે ભાગ લઈ રહ્યા છે. આ સમિટમાં દરેકની નજર પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની વચ્ચેની વાતચીત પર રહેશે. થોડા દિવસો પહેલાં ભારત સરકારે જમ્મૂ કાશ્મીર પર જે નિર્ણય લીધો છે ત્યારપછી ડોનાલ્ડ ટ્રમ્પ કે અમેરીકી શાસનની તરફથી જે નિવેદનો આપવામાં આવ્યા છે અને તેમની વચ્ચે જે મુલાકાતો થઈ છે તે મહત્વની બને છે. ટ્રમ્પ કાશ્મીર મુદ્દા પર મધ્યસ્થતાની વાત કરતા આવ્ય છે અને સાથે જ પોતાના નિવેદનોથી પલટી પણ મારી રહ્યા છે. એવામાં જો આજે બંને નેતાઓ મળે છે અને આ વિષય પર વાતચીત થાય છે કે નહીં અને થાય છે તો શું વાતચીત થશે તેની પર દરેકની મીટ મંડાયેલી છે.
બદલાતા નિવેદનો સાથે ટ્રમ્પ અને પીએમ મોદીની મુલાકાત
અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે છેલ્લા કેટલાક દિવસોમાં એવું નિવેદન આપ્યું હતું જેનાથી ભારતીય ઉપમહાદ્વીપની રાજનીતિમાં ભૂકંપ આવ્યો હતો. ઈમરાન ખાનની સામે ટ્રમ્પે કહયું કે તેઓ કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરવા તૈયાર છે અને સાથે તેઓએ પીએમ મોદીને પણ વાત કરી છે. ટ્રમ્પના આ નિવેદન પર ભારે ચર્ચાઓ થઈ. ભારત સરકારે તેની પર નિવેદન આપ્યું અને સાથે જ ટ્રમ્પે પણ આ વાતને ખોટી ઠેરવી. ભારત સરકારના જવાબ બાદ અમેરીકાના અનેક સીનેટ, વ્હાઈટ હાઉસની તરફથી નિવેદનો આપવામાં આવ્યા છે. તેમાં કહેવાયું છે કે જમ્મૂ કાશ્મીરનો મુદ્દો ભારત અને પાકિસ્તાનની વચ્ચેનો દ્વિપક્ષીય કિસ્સો છે. તેમાં ત્રીજા પક્ષની જરૂર નથી.
વારંવાર નિવેદનોને બદલી રહ્યા છે ટ્રમ્પ
પોતાના પહેલા નિવેદન પર જ્યારે વિવાદ સર્જાયો તો ડોનાલ્ડ ટ્રમ્પે એક વાર ફરી તેની પર નિવેદન આપ્યું અને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાનના પ્રધાનમંત્રી તેમને મધ્યસ્થતા માટે કહે છે તો તેઓ તેના માટે તૈયાર છે. તો અન્ય તરફ હાલમાં જ થોડા દિવસો પહેલાં ફરી આ વાતને રીપિટ કરી અને મધ્યસ્થતા માટે તૈયાર રહેવા કહ્યું છે.
આ દરેક વિવાદની સાથે આજે સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી મળી રહ્યા છે. ટ્રમ્પે ફ્રાન્સ જતાં પહેલાં કહ્યું હતું કે તેઓ પીએમ મોદી સાથે કાશ્મીર મુદ્દે વાત કરશે. આ પહેલાં બંને ફોન પર પણ વાત કરી ચૂક્યા છે. એવામાં જોવાનું એ રહે છે કે જ્યારે બંને નેતા સામસામે હશે તો શું નિર્ણય લેશે. કારણકે ભારત દરેક વખતે દુનિયાના દરેક મંચ પર કહી ચૂક્યું છે કે જમ્મૂ કાશ્મીરને લઈને જે પણ વિવાદ છે તે ભારત-પાકિસ્તાનની વચ્ચેનો છે. આર્ટિકલ 370ને લઈને જે નિર્ણય છે તે ભારતનો આંતરિક મુદ્દો છે.