દિલ્હી: પીએમ મોદીને જાનથી મારી નાંખવાની ધમકી મળી છે. દિલ્હી પોલીસ કમિશ્નરને ધમકીભર્યો ઈમેઈલ મળ્યો છે. અમૂલ પટનાયકને આ ઈમેઈલ મળ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે પીએમ મોદીને આગામી નવેમ્બર 2019માં જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.
તો આ ધમકીભર્યા ઈમેઈલ બાદ રાજકીય વાતાવરણમાં હાહાકાર મચ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ આસામના કોઈ જિલ્લામાંથી આ ઈ-મેઈલ મોકલવામાં આવ્યો છે. જેના પગલે દિલ્હી પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પણ કામે લાગી છે. ધમકીભર્યો ઈમેઈલ મોકલનારા સામે કાર્યવાહી કરવા માટે પોલીસે કામગીરી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે આ મામલે પોલીસનું કહેવું છે કે આ મેઇલ આસામના કોઇ એક જિલ્લામાંથી મોકલવામાં આવ્યો છે. મેઇલ મળતાની સાથે જ પોલીસે તેની તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઇએ કે આ પહેલા પણ ભીમા-કોરેગાંવ હિંસાની તપાસમાં પણ વડાપ્રધાન મોદી વિરૂધ્ધ જાનલેવા ષડયંત્રનો ખુલાસો થયો હતો. તપાસમાં ડાબેરી જૂથોના લોકો વચ્ચે કેટલાક પત્રો પ્રાપ્ત થયાં હતા. જેમાં PM મોદી વિરૂધ્ધ પણ ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી જેવી જ ઘટના ઘટવાનું ષડયંત્ર સામે આવ્યું હતું.