ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો છે. આ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને ચીનના લોકો સાથે એકજુટતા વ્યક્ત કરી છે. પીએમ મોદીએ ચીની રાષ્ટ્રપ્રમુખને પત્ર લખીને ભારતની તરફથી મદદ કરવા જણાવ્યું છે.
ચીનમાં કોરોના વાયરસના કારણે હાહાકાર મચી ગયો
પીએમ નરેન્દ્ર મોદીએ ચીનના લોકો સાથે એકજુટતા વ્યક્ત કરી
ચીનમાં કોરોના વાયરસથી 811 લોકોના મોત થયા
આ સાથે જ પીએમ મોદીએ જાનમાલના નુકશાનને પગલે શોક પણ વ્યકત કર્યો છે. પીએમ મોદીએ હુબેઇ પ્રાન્તથી ભારતીય નાગરિકોને નીકાળવા માટે ચીન સરકારની તરફથી આપવામાં આવેલી સુવિધાઓની પણ પ્રશંસા કરી.
811 લોકોના મોત, 37,000 સંક્રમિત
ચીનમાં કોરોના વાયરસ (Coronavirus) થી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 811 થઇ ગઇ છે. જ્યારે કન્ફર્મ મામલાઓની સંખ્યા પણ વધીને 37,000ને પાર થઇ ગઇ છે. ચીની તંત્રએ રવિવારે આ જાણકારી આપી. સમાચાર એજન્સી સિન્હુઆની રિપોર્ટના અનુસાર, ચીની સ્વાસ્થ્ય અધિકારીઓએ કહ્યું કે તેઓ 31 પ્રાન્તિય સ્તરના ક્ષેત્રો અને શિન્જિયાંગ પ્રોડક્શન એન્ડ કન્સ્ટ્રક્શન કોર્પ્સથી શનિવારે કોરોનાવાયરસ સંક્રમણથી કન્ફર્મ 2,656 નવા મામલાઓ અને 89 મોતની જાણકારી મળી છે.
સિન્હુઆએ ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગના હવાલાથી બતાવ્યું કે આ મોતોમાં 81 હુબેઇ પ્રાન્તમાં, હેનાનમાં બે, હેબેઇ, હીલોન્ગજિયાંગ, અનહુઇ, શાનડોન્ગ, હુનાન અને ગુઆંગ્જ્ઞી ઓટોનોમસ રીઝનમાં એક-એક મોત થયું છે. આયોગે કહ્યું કે શનિવારે 3,916 નવા શંકાસ્પદ મામલાઓ સામે આવ્યા.