પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમનો શુભારંભ કર્યો. આ દરમિયાન PM મોદી દિલ્હીના પહાડગંજની ભીમરાવ આંબડેકર સ્કૂલમાં સફાઇ કરી અને પોતાના હાથથી ગંદકી સાફ કરી આ અભિયાન મહાત્મા ગાંધીના જન્મદિવસ 2 ઓક્ટોબર સુધી ચાલશે.
સામાન્ય રીતે જ્યારે PMનો કાફલો નીકળવાનો હોય ત્યારે આખો રસ્તો થોડી વખત માટે સામાન્ય લોકો માટે બંધ કરી દેવામાં આવે છે. જોકે આજે પહેલીવખત PM મોદી કોઇ સિક્યોરિટી રૂટ વિના જ નીકળ્યા હતા અને તેમનો કાફલો સિગ્નલ પર ઉભો રહ્યો હતો. આજે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમમાં ભાગ લેવા માટે મોદી જ્યારે રવાના થયા ત્યારે આ અસમાન્ય દ્રશ્યો જોવા મળ્યા જેને જોઇને લોકો પણ ચોંકી ગયા હતા.
Delhi: Prime Minister Narendra Modi leaves for Swachhata Shramdan without any security route in place traffic functioning normally pic.twitter.com/qxy4SnKm7B
Delhi: PM Narendra Modi's ’s cavalcade en-route to Swachhata Shramdan gets stuck in a traffic jam as no security route or barriers were in place to allow for smooth traffic flow. pic.twitter.com/YkowaB2nOe
આ પહેલા પ્રધાનમંત્રી 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમની શરૂઆત કરતા કહ્યુ કે ''માં ગંગાની સેવાનું આ પુણ્ય કામ જે તમે કરી રહ્યા છો તેનો લાભ દેશને મળશે. ગંગા કિનારે વસેલા ગામોમાં ખુલ્લામાં શૌચની મુક્તિ માં ગંગાની નિર્મળતા માટે મહત્વપૂર્ણ છે. ગંગા આપણી સંસ્કૃતિ છે વારસો છે ઓળખ છે માં ગંગા પ્રતિ સમર્પણ અને સન્માન ગંગોત્રીથી લઇને ગંગા સુધી ના તો માત્ર દેખાવું જોઇએ પરંતુ તેને કષ્ટ આપવાની માનસિકતા મગજમાંથી નીકળાવી જોઇએ.''
પ્રધાનમંત્રીએ કહ્યુ કે ''સ્વચ્છતા એક આદત છે જેને રોજબરોજની ટેવોમાં સામેલ કરવી પડે છે. આ સ્વભાવમાં પરિવર્તન કરવાનો યજ્ઞ છે જેમાં દેશની દરેક વ્યક્તિ પોતાની રીતે યોગદાન આપી રહી છે. અસ્વચ્છતા ગંદકી ખાસ કરીને ગરીબોના જીવનને સૌથી વધારે નુકસાન પહોંચાડે છે જે બિમારી વધારે છે. ડાયરિયા જેવી અનેક બિમારીઓ સીધી રીતે ગંદકીના કારણે ફેલાય છે. આ બિમારીના કારણે લાખો લોકોના જીવ જોખમમાં જાય છે.'' જોકે PM મોદીએ કહ્યુ કે ''એ વાતનો સંતોષ માનવો જોઇએ કે સ્વચ્છ ભારત અભિયાનને કારણે ડાયરિયાના મામલામાં ઘણો ઘટાડો થયો છે.''