મોદી સરકારના મહત્વકાંક્ષી લક્ષ્ય એટલે બેઘરોને ઘર આપવું. હવે આ લક્ષ્ય હેઠળ આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. પ્રોજેક્ટના શિલાન્યાસ કાર્યક્રમમાં પીએમ મોદીએ મોટું નિવેદન પણ આપ્યું.
લાઇટ હાઉસ પ્રોજેક્ટની એક સાથે છ રાજ્યોમાં શરૂઆત
એક દિવસમાં અઢીથી ત્રણ મકાન બનશે : પીએમ મોદી
પહેલા પૈસા આપી દેવા છતાં ન હતું મળતું મકાન : પીએમ મોદી
શું છે યોજના
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2022 સુધી દેશના બધા જ બેઘર લોકોને પાકું મકાન આપવાના લક્ષ્ય સાથે એક મહત્વનું પગલું ભર્યું છે. આ જ દિશામાં આજે લાઇટ હાઉસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને નવા વર્ષમાં આ પહેલો કાર્યક્રમ છે. શહેરી ભારતમાં રહેતા લોકોને આવાસ ઉપલબ્ધ કરાવવા માટે આ યોજના કરવામાં આવી છે જેમાં કેન્દ્ર અને રાજ્ય મળીને ત્રિપુરા, આંધ્ર પ્રદેશ, યુપી, એમપી, ગુજરાત, ઝારખંડ અને તમિલનાડુમાં ગરીબ લોકોને સરકાર સસ્તા મકાન અપાવશે.
ગરીબો માટે સુવિધાજનક મકાન
આજે કાયર્ક્રમને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે આજે મધ્યમવર્ગના લોકોને ઘર બનાવવા માટે નવી ટેકનિક મળવા જઈ રહી છે આ છ લાઇટ હાઉસ પ્રોજેક્ટ દેશમાં આવાસ નિર્માણને નવી દિશા આપવા જઈ રહ્યા છે. તેમણે કહ્યું કે આ લાઇટ હાઉસ આધુનિક ટેકનિક સાથે બનશે અને વધારે મજબૂત પણ હશે, આ આવાસમાં ગરીબો માટે સુવિધાજનક અને આરામદાયક ઘર બનાવવામાં આવી રહ્યા છે.
પીએમ મોદીનો મોટો દાવો
પીએમ મોદીએ કહ્યું કે એક સમય હતો ત્યારે નિર્માણ તો સરકારની પ્રાથમિકતામાં હતું જ નહીં પણ હવે તેને બદલવામાં આવ્યું છે. લાઇટ હાઉસ પ્રોજેકટની મદદથી દેશમાં છ શહેરોમાં 365 દિવસમાં જ એક હજાર મકાન બનાવવામાં આવશે. તેનો અર્થ એ થયો કે દરરોજ અઢીથી ત્રણ મકાન બની જશે. પીએમ મોદીએ આ કાર્યક્રમમાં એન્જિનિયર અને પ્રોફેસરોને આગ્રહ કર્યો કે તે સાઇટ પર જાય અને તેનું અધ્યયન કરે.
પહેલા ઘર ખરીદનારની હાલત હતી ખરાબ
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે થોડા વર્ષ પહેલા ઘર ખરીદનારની હાલત ખૂબ ખરાબ હતી અને ઘર બનાવવાના સપના સાકાર કરવું ખૂબ મુશ્કેલ હતું. પૈસા આપવા પર પણ મકાન મળતું ન હતું. ખરીદનાર વ્યક્તિ પૈસા આપી દેતો અને તે બાદ ઘર મળે તેની રાહ જોવી પડતી હતી પણ હવે અમારી સરકારે આ વલણને બદલી નાખી છે.
પીએમ મોદીએ કહ્યું કે ઘરની ચાવી મળે એટલે માત્ર દીવાલોની માલિકી જ નહીં પણ આ ચાવીથી લોકોના વિકાસ અને તેમની પ્રગતિના દ્વાર પણ ખૂલી જાય છે. ઘરની ચાવી મગજના દ્વારને ખોલી નાખે છે અને તેના કારણે લોકોના સપનાઓને પાંખ લાગી જાય છે. ઘરની ચાવી મળવાથી વ્યક્તિને સમાજમાં સન્માન મળે છે.
શું છે લાઇટહાઉસ પ્રોજેક્ટ
લાઉટ હાઉસ પ્રોજેક્ટ માટે જે રાજ્યોને સિલેક્ટ કરવામાં આવ્યા છે તેમાં ત્રિપુરા, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિળનાડુ, આંધ્ર પ્રદેશ, ગુજરાત અને ઝારખંડ સામેલ છે. લાઇટ હાઉસ પ્રોજેક્ટ કેન્દ્રિય શહેરી મંત્રાલયની મહત્વકાંક્ષી યોજના છે. જેના હેઠળ લોકોને સ્થાનીય જલવાયુ અને ઇકોલોજીનું ધ્યાન રાખીને ટકાઉ ઘર આપવામાં આવશે.