એક તરફ જયાં સેનાધ્યક્ષ બિપિન રાવત કહે છે કે કશ્મીરમાં જે ડર્ટી વોર થઈ રહ્યુ છે તેને ડામવા અલગ કિમિયો અપનાવવો પડશે. ત્યારે મોદી સરકારે પણ અલગતાવાદીઓને ઠેકાણે પાડવા અને કશ્મીરી યુવાનોને પોતાની તરફે ખેંચવા નવો પ્લાન ઘડી કાઢયો છે. શું છે મોદી સરકારનો માસ્ટર પ્લાન આવો જોઈએ.
કેન્દ્ર સરકારે જમ્મૂ-કશ્મીરમાં યુવા પેઢીને અલગાવવાદથી ચુંગલથી બચાવવા માટે નવી નવી પહેલ શરૂ કરી છે. જેને લઈને સરકાર 10 હજાર સ્પેશલ પોલીસ એફિસર એટલે કે SPOની ભરતી કરવા જઈ રહી છે. જેના દ્વારા સેનાને કશ્મીરમાં આતંકવાદીઓ પર અંકુશ મેળવવામાં મદદ મળશે. આ સિવાય મોદી સરકાર નક્સલિઓ પર અંકુશ લગાવવા માટે રાજ્યોની સ્થાનીય પોલીસને સેના પાસે તાલિમ અપાવી રહી છે. જેના દ્વારા સ્થાનીય નક્સલ વિરોધી ઓપરેશનમાં વધુ સતર્કતા અપનાવી શકે.
મોદીનો કશ્મીર પ્લાન કશ્મીરની સમસ્યાનું ટૂંક સમયમાં આવશે નિવારણ કેન્દ્ર સરકાર કશ્મીરને લઈને કરી રહી છે કામ કશ્મીરમાં 10 હજાર SPOની કરાશે ભરતી કશ્મીરી યુવાનોને મળશે રોજગારી
કેદ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે મોદી સરકારના ત્રણ વર્ષ પૂરા થવા કહ્યું હતું કે કેદ્ર સરકાર કશ્મીરની સમસ્યાનું ચો[સ રીતે સમધાન કાઢશે.. સરકારે આ દિશામાં કામ શરૂ કરી દીધું છે. જે માટે કશ્મીરમાં 10 હજાર SPOની ભરતી કરવામાં આવશે.. જેના દ્વારા કશ્મીરી યુવાનોને રોજગારી મળશે. સાથે જ તેઓ દેશની મુખ્યધારા સાથે પણ જોડાશે. આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે કશ્મીરમાં અલગાવવાદ પર અંકુશ લગાવવા માટે કેદ્ર રાજ્ય સરકાર સાથે મળીને કામ કરી રહી છે. જેના દ્વારા સ્થાનિક લોકોને વિશ્વાસમાં લઈને વિકાસ માટે ખાસ પગલા ભરવામાં આવશે.
રાજનાથશસહે કહ્યું હતું કે કશ્મીરની સમસ્યા ખુબ ગંભીર છે. હાલના સમયમાં અશાંતિ પાછળ કટ્ટરતા એક મોટું કારણ છે. આ માત્ર કાશ્મીરની સમસ્યા જ નથી પરંતુ સમગ્ર વિશ્વમાં કટ્ટરતા વધી રહી છે.
મહત્વનું છે કે મોદી સરકારે આતંકવાદની સાથે સાથે નક્સલવાદને નાબૂદ કરવાની દિશામાં પગલા માંડયા છે. અને તે માટે કેદ્ર સરકાર યુવાનોને પોતાની તરફ આકર્ષીત કરી રહી છે. ત્યારે મોદી સરકારની આ કાર્યશૈલીની યુવાધન પર કેટલી અસર પરવડે છે તે આવનાર સમય જ બતાવશે.
અલગાવવાદીઓને મળશે મુહતોડ જવાબ કશ્મીરમાં 10 હજાર યુવાનોને મળશે રોજગારી 10 હજાર યુવાનોની SPOમાં કરાશે ભરતી મોદી સરકાર યુવાનોને પોતાની તરફેણમાં લેશે નક્સલનો ખાતમો કરવા પણ મોકી સરકારી રણનીતિ પોલીસ જવાનોને સેના દ્વારા અપાશે ટ્રેનિંગ