કારગિલ વિજય દિવસની 20મી વર્ષગાંઠ નિમિત્તે દિલ્હીના ઈંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચ્યા છે. જે તેમણે સંબોધન કર્યું હતુ. નોંધનીય છે કે, આ કાર્યક્રમ કારગિત યુદ્ધને 20 વર્ષ પૂર્ણ થયા તે અંતર્ગત આયોજીત કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે કારગિલ વિજયગાથા પેઢીઓને પ્રેરણા આપી રહી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે યુદ્ધ સરકારો નથી લડતી પરંતુ સમગ્ર દેશ લડે છે. સરકારે આવે છે અને જાય છે પરંતુ જે દેશ માટે જીવવા મરવાની પરવાહ નથી કરતા તે અમર થઇ જાય છે. સૈનિકો આવનાર દિવસો માટે પોતાનું બલિદાન આપી દેતા હોય છે.
PM Narendra Modi, in Delhi: Today the wars have reached the space. Wars are fought even in cyber world today. So, modernisation of defence forces is not only a necessity but also our priority. Modernisation should be the identity of our defence forces. #KargilVijayDiwaspic.twitter.com/HaACAsjDgk
પ્રધાનમંત્રીએ જુના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે, 2014માં પ્રધાનમંત્રી બન્યા પહેલા કારગિલ જવાનો અવરસ પ્રાપ્ત થયો હતો. પરંતુ જ્યારે કારગિલ યુદ્ધ જીત્યા ત્યારે પણ કારગિલ ગયો હતો. વધુમાં તેમણે કહ્યું કે, વિજય આપણા દીકરા-દીકરીઓની બહાદુરીનો છે. આ ભારતની તાકાત તથા ધૈર્યની જીત છે. આ ભારતની પવિત્રતા અને અનુશાસનની જીત છે. આ દરેક ભારતીયોની આશાની જીત છે.
Prime Minister Narendra Modi: I had gone to Kargil 20 years ago when war was at its peak, the enemy was playing its games sitting on high peaks. Death was staring in the face yet our jawans carrying the tricolor wanted to reach the valley before anyone. pic.twitter.com/woz1ayuMOW
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 20 વર્ષ પહેલા કારગિલ જવાનું થયું હતું ત્યારે યુદ્ધ ચરમસીમા પર હતું, દુશ્મનો ઉંચા શિખર પર બેસીને પોતાની રમત રમી રહ્યા હતા. આપણા જવાનો મોતનો સામનો કરી રહ્યા હતા તિરંગો લઇ જનારા આપણા જવાનો સૌથી પહેલા ઘાટી સુધી પહોંચવા માગે છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઇને કપટ કરી રહ્યું છે, 1948, 1965,1971 તેણે આ જ કામ કર્યું પરંતુ 1999માં તેનું કપટ સફળ ન થઇ શક્યું.
આપને જણાવી દઇએ કે, આ પ્રથમ ઘટના છે જ્યારે પ્રધાનમંત્રી કારગિલ વિજય દિવસના પ્રસંગે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઇપણ પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર આયોજિત કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લીધેલ નથી.