પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે દરેક પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે.
PM નરેન્દ્ર મોદીની દરેક પક્ષોના નેતાઓ સાથે મુલાકાત
મુલાકાત પહેલા અટકળોનું બજાર ગરમ
જમ્મુ-કાશ્મીરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે બેઠક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુરુવારે દરેક પક્ષોના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત જમ્મુ-કાશ્મીરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. મુલાકાત પહેલા અટકળોનું બજાર ગરમ છે. તેના પર અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે કે હવે જમ્મુ-કાશ્મિરમાં શું નવા જુની થવા જઈ રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રીના આ નિર્ણયને 'પ્રક્રિયાની શરૂઆત તરીકે જોવામાં આવશે. ' અધિકારીઓએ કહ્યું કે- "5 ઓગસ્ટ 2019 બાદ રાજ્યમાં ખાસ કરીને ઘાટી રાજનૈતિક રૂપથી અસ્થિર છે. પ્રધાનમંત્રી લોકતાંત્રિક રાજનૈતિક પ્રક્રિયાનું સમર્થન કરનારની વિશ્વસનીયતા સુનિશ્ચિત કરશે. તેમને અલગાવવાદિઓને પરેશાન કરવાની કોશિશ કરી. પરંતુ તે અસફળ રહ્યા."
જમ્મુ-કાશ્મીરમાં વર્ષ 2018થી રાષ્ટ્રપતિ શાસન લાગુ રહ્યું છે. આ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ પીપુલ્સ ડેમોક્રેટિક પાર્ટીની સાથે ગઠબંધન તોડી દીધુ હતું. ત્યાર બાદ કેન્દ્રએ ઓગસ્ટ 2019માં સંવિધાનની કલમ 370ની હેઠળ જમ્મુ અને કાશ્મીરને આપવામાં આવેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કરી દીધો હતો અને ત્યાર બાદ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થાન આપ્યું હતું.
JKમાં કાયદાકીય વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં
અધિકારીઓએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં કાયદાકીય વ્યવસ્થા અને સુરક્ષાની સ્થિતિ નિયંત્રણમાં છે માટે લોકતંત્રની પુનઃસ્થાપના પર જોર આપવાનો આ સમય ઉચિત છે. અધિકારીઓએ કહ્યું કે જો સરકાર અને ચૂંટણી આયોગ નિર્ણય કરે છે તો તે ચૂંટણી કરાવવામાં મદદ કરવાની સ્થિતિમાં રહેશે.
પૂર્ણ રાજ્ય બનાવવાના સવાલ પર સરકારી અધિકારીઓએ કહ્યું કે પ્રધાનમંત્રી મોદી અને તેમની સરકાર જમ્મુ-કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવા માટે પ્રતિબદ્ધ છે. પરંતુ આ ક્યારે થશે. તેની કોઈ સમયસીમા હજુ સુધી નક્કી નથી થઈ. અધિકારીઓએ જણાવ્યા અનુસાર, 'પ્રક્રિયાનું પાલન કરવાનું રહેશે. જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન અધિનિયમે જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સાશિત પ્રદેશ બનાવી દીધો છે. જો હાલના નિયમોમાં સંશોધન કરવું છે તો સંસદની મંજૂરી જરૂરી છે. '
જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન નિયન, 2021ને જમ્મુ-કાશ્મીર કેડર IAS, IPS અને ભારતીય વિદેશ સેવાના એધિકારીઓને અરૂણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને કેન્દ્રશાસિત પ્રદેશની સાથે છે. એવામાં તેના પણ સંશોધનની જરૂર થઈ શકે છે. જણાવી દઈએ કે સંસદનું મોનસુન સત્ર જુલાઈના મધ્યથી શરૂ થઈ શકે છે. એક અધિકારીએ કહ્યું છે કે, 'એક પૂર્ણ રાજ્યમાં સામાન્ય રીતે આઈએએસ અને આઈપીએસ અધિકારીઓનું પોતાનું કેડર હોય છે જ્યા સુધી કે વ્યવસ્થા દિલ્હી કે પુડ્ડુચેરી જેવી ન હોય. '