પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જેસલમેર બોર્ડરના લોંગેવાલા ચૌકી પર દેશના જવાનોની સાથે દિવાળી સેલિબ્રેટ કરી છે. પીએમ મોદીએ જવાનોને સંબોધિત કરતા કહ્યું કે આપ સૌ વીરોને મારી તરફથી 130 કરોડ દેશવાસીઓની તરફથી દિવાળીની શુભેચ્છા પીએમએ કહ્યું કે દેશની સરહદ પર હોવ કે , આકાશ પર હોવ કે પછી સમુદ્રમાં રાષ્ટ્ર રક્ષામાં જોડાયેલા દેશના દીકરા અને દીકરીઓ દરેક સુરક્ષા દળ, દરેકને દિવાળીના પર્વ પર નમન કરુ છું.
મેજર કુલદીપ સિંહ ચાંદપુરના નેતૃત્વમાં દુશ્મનોને ધૂળ ચટાવી હતી
દરેક વરિષ્ઠ જનને આશિષ લઈને આવ્યો છું
દિવાળીના દિવસે તમારી વચ્ચે આવીશ
પ્રધાનમંત્રી મોદીએ જવાનોને સંબોધિત કરતા કહ્યું તે તમે છો તો દેશ છો. દેશનો આ તહેવાર છે. પીએમએ કહ્યું કે હું તમારી વચ્ચે પ્રત્યેક ભારતવાસીની શુભકામનાઓ લઈને આવ્યો છું. દેશવાસીઓનો પ્રેમ લઈને આવ્યો છું. દરેક વરિષ્ઠ જનને આશિષ લઈને આવ્યો છું.
તેમણે કહ્યું કે જેમના દીકરા અને દીકરી તહેવારના દિવસે સરહદ પર તૈનાત છે તે અભિનંદનના હકદાર છે. પીએમે કહ્યું કે મને યાદ છે કે પીએમ બન્યા બાદ પહેલી વાર સિયાચિન ગયો હતો . દિવાળી મનાવવા માટે પણ બહું લોકોએ આશ્ચર્ય થયુ હતુ. પરંતુ તમે મારો ભાવ જાણો છો. દિવાળીના દિવસે તમારી વચ્ચે આવીશ. દિવાળી પર પોતાના લોકોની વચ્ચે આવીશ.
#WATCH: Whenever history on the excellence of soldiers will be written and read, the Battle of Longewala will be remembered: PM Narendra Modi in Jaisalmer, #Rajasthanpic.twitter.com/d6KSUw7bzZ
પીએમે કહ્યું કે તમે ભલે બર્ફીલી પહાડી પર રહો કે પછી રણમાં મારી દિવાળી તમારા લોકોની વચ્ચે આવીને જ પૂરી થષે. તમારા ચહેરા પર તેજ જોઈ મને આનંદ થાય છે. દેશના ઉલ્લાસને તમારા સુધી પહોંચાડવા માટે આવ્યો છું. તમારા માટે મિઠાઈને લઈને આવ્યો છું. પણ આ દેશોના પીએમ મિઠાઈ આપવા નથી આવ્યા આ તમામ દેશવાસીઓના પ્રેમ અને પોતાના પણ સ્વાદ લઈને આવ્યો છુ.જેથી માના હાથની મિઠાઈ અને પિતા અને ભાઈના આશીર્વાદ અનુભવી શકો.
પીએમે કહ્યું કે જો તમે દેશના કોઈ પણ પોસ્ટનું નામ જો કોઈને યાદ રહ્યું છે તો એ છે લોંગેવાલા પોસ્ટ. અહીં ગર્મીમાં તાપમાન 50 ડિગ્રીને પહોંચે છે. અને ઠંડીમાં તાપમાન શૂન્યથી નીચે જાય છે. આ પોસ્ટે શૌર્ય ગાથા લખી જે લોકોને યાદ છે. જ્યારે સૈન્યની કુશળતાના ઈતિહાસની વાત થાય છે ત્યારે બેટલ ઓફ લોંગવાલાને યાદ કરવામાં આવે છે. તે સમય હતો જ્યારે પાકિસ્તાનની સેના બાંગ્લાદેશ પર અત્યાચાર કરી રહી હતી. ત્યારે યુદ્ધમાં આ પોસ્ટે પર પરાક્રમથી ગુંજી ઉઠ્યું હતુ. દુશ્મનોના ઈરાદા પર પાણી ફેરવ્યું હતુ. મેજર કુલદીપ સિંહ ચાંદપુરના નેતૃત્વમાં દુશ્મનોને ધૂળ ચટાવી હતી.