ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબીલી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું.
ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબલી પર PM મોદીનું સંબોધન
ગુજરાત હાઇકોર્ટે વિશેષ ઓળખ બનાવી
આપણી ન્યાયપાલિકાએ બંધારણને મજબૂત કર્યુ
ગુજરાત હાઇકોર્ટની ડાયમંડ જ્યુબલી પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું કે ગુજરાત હાઇકોર્ટે વિશેષ ઓળખ બનાવી. આપણી ન્યાયપાલિકાએ બંધારણને મજબૂત કર્યું. ન્યાયપાલિકાએ દેશ હિતને ઉપર રાખ્યું છે. આપણો સમાજ ન્યાયપ્રિય રહ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાત હાઇકોર્ટ ડાયમંડ જ્યૂબલી કાર્યક્રમમાં સંબોધન કર્યું. પીએમ મોદીએ આ ખાસ અવસર પર એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી.
Prime Minister Narendra Modi releases a commemorative postage stamp on Diamond Jubilee of High Court of Gujarat, through video conferencing. pic.twitter.com/ueiyFrIt8x
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ગુજરાત હાઇકોર્ટના ડાયમંડ જ્યૂબીલીના અવસર પર બધાને શુભેચ્છા પાઠવી. ગુજરાત હાઇ કોર્ટે સત્ય અને ન્યાય માટે જે નિષ્ઠાથી કામ કર્યું છે, જેને ભારત ન્યાયિક વ્યવસ્થા અને લોકશાહીને મજબૂત કરી છે.
ન્યાયતંત્ર બંધારણનો પ્રાણવાયુ
પીએમ મોદીએ કહ્યું કે બંધારણમાં કાર્યપાલિકા, વિધાયિકા અને ન્યાયપાલિકાને આપવામાં આવેલી જવાબદારી આપણા બંધારણ માટે પ્રાણવાયુની જેમ છે. આપણી ન્યાયપાલિકાએ બંધારણના પ્રાણવાયુની સુરક્ષાનું દાયિત્વ પુરી દ્રઢતાથી પુરુ કર્યું છે.
ભારતમાં સદીઓથી છે 'રુલ ઓફ લૉ'
પીએમ મોદીએ કહ્યું કે ભારતીય સમાજમાં રુલ ઓફ લૉ સદીઓથી સભ્યતા અને સામાજિક તાંતણાઓનો આધાર રહ્યો છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં જણાવામાં આવ્યું છે કે 'ન્યાયમૂલં સુરાજ્યં સ્યાત' એટલે કે સુરાજ્યની જડ જ ન્યાયમાં રહેલી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ન્યાયપાલિકા પ્રતિ ભરોસાએ સામાન્ય નાગરિકના મનમાં એક આત્મવિશ્વાસ જગાવ્યો છે. સત્ય માટે ઉભા રહેવાની તાકાત આપી છે. આઝાદીથી અત્યાર સુધી દેશની યાત્રામાં આપણે ન્યાયપાલિકાના યોગદાનની ચર્ચા કરીએ છીએ અને બારના યોગદાનની પણ ચર્ચા થાય છે. ગત વર્ષોમાં પોતાની કાયદાકીય સમજ, પોતાની વિદ્ધતા અને બૌદ્ધિકતાથી ગુજરાત હાઇકોર્ટ અને બાર એ એક વિશિષ્ટ ઓળખ બનાવી છે.
આવી હોય આપણી જસ્ટિસ સિસ્ટમ
પીએમ મોદીએ કહ્યું કે આપણી જસ્ટિસ સિસ્ટમ એવી હોવી જોઇએ, જે સમાજના અંતિમ સ્થાન પર રહેલા વ્યક્તિ માટે સુયોગ્ય હોય. જ્યાં દરેક વ્યક્તિ માટે ન્યાયની ગેરેંટી હોય અને સમયસર ન્યાય મળવાની ગેરંટી હોય.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકાર આ દિશામાં સતત પોતાના કર્તવ્યો પુરા કરવા માટે નિરંતરપ્રયાસ કરી રહ્યું છે. ન્યાયના જે આદર્શન ભારતીય સંસ્કારનો ભાગ રહ્યાં છે, તે ન્યાય દરેક ભારતીયનો અધિકાર છે. એટલા માટે ન્યાયપાલિકા અને સરકાર બંનેનો દાયિત્વ છે કે દુનિયાની સૌથી મોટી લોકશાહીમાં મળીને વર્લ્ડ ક્લાસ જસ્ટિસ સિસ્ટમ ઉભી કરે.