પીએમઓ સૂત્રોના અનુસાર નિર્ણયો એ રીતે લેવાશે કે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યમાં કોઈ બાધા ન આવે. ઉદ્યોગોને રાહત અપાવવા માટેની દિશામાં પીએમ મોદી પોતે હસ્તક્ષેપ કરી રહ્યા છે.
આર્થિક મંદીના સમયમાં ઈકોનોમીને પાટા પર લાવવા માટે મોદી સરકાર જલ્દી મોટા અને ચોંકાવનારા નિર્ણયો લઈ શકે છે. ટેક્સમાં રાહત અને નોકરી બચાવવાના આ નિર્ણયોની શરૂઆત સોમવારથી થઈ શકે છે. સંકટમાં ફસાયેલા ઉદ્યોગોને નવા પેકેજના સંકેત મળી ચૂક્યા છે પણ સરકાર તેનાથી પણ વધારે આગળ વધવા ઈચ્છે છે.
પીએમઓ સૂત્રોના અનુસાર નિર્ણયો એ રીતે લેવાશે કે 5 ટ્રિલિયન ડોલરની ઈકોનોમી બનાવવાના લક્ષ્યમાં કોઈ બાધા ન આવે. ઉદ્યોગોને રાહત અપાવવા માટેની દિશામાં પીએમ મોદી પોતે હસ્તક્ષેપ કરી રહ્યા છે. તેઓ દેશ અને વિદેશી રોકાણકારોમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે તેમની સાથે સીધો સંવાદ કરશે. સૂત્રોના અનુસાર રાહત પેકેજ પછી હવે પીએમ મોદી નવો નિર્ણય લેવાની તૈયારીમાં છે. તેમાં સરકારી ખર્ચમાં ઘટાડો પણ સામેલ છે.
અનોખું પેકેજ આપવાની તૈયારી
સૌ પહેલાં મંત્રીઓ અને અધિકારીઓની બિનજરૂરી સેવાઓ અને તેમના રોજિંદા ખર્ચામાં ઘટાડો કરવામાં આવશે. સરકારે નક્કી કર્યું છે કે કલ્યાણકારી યોજનાઓને માટે ફંડની અછત રાખવામાં આવશે નહીં. સૂત્રોના જણાવ્યા અનુસાર અન્ય ઉપાયોમાં સૌથી મોટો નિર્ણય ટેક્સ સુધારવાનો હશે જે ગેમચેન્જર સાબિત થશે. નોકરી બચાવવા માટે સરકાર ઈન્ડસ્ટ્રીને અત્યારસુધીનું અનોખું પેકેજ આપવાની તૈયારીમાં છે.
ટેક્સમાં બદલાવ
સામાન્ય વ્યક્તિની સાથે ઈન્ડસ્ટ્રીને પણ ટેક્સમાં રાહત આપવા પર વિચાર કરવામાં આવશે.