ભારતમાં કોરોના વાયરસનાં વધતાં કેસ વચ્ચે આજે પ્રધાનમંત્રી મોદીએ હાઇલેવલ બેઠક બોલાવી હતી.
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર
PM મોદીએ બોલાવી હાઇલવેલ બેઠક
વર્તમાન પરિસ્થિતિ અને વેક્સિનેશન મુદ્દે કરાઇ ચર્ચા
PM મોદીએ કરી હાઇલેવલ બેઠક
ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે, ગુજરાત અને યુપી જેવા રાજ્યોમાં એક મહિનાથી કોરોના વાયરસનાં નવા કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે ત્યારે દક્ષિણનાં રાજ્યોમાં કોરોના વાયરસનાં કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. કેરળમાં કોરોના વાયરસનાં સૌથી વધારે કેસ આવી રહ્યા છે ત્યારે આજે પ્રધાનમંત્રી મોદીએ અધિકારીઓ સાથે હાઇલેવલ બેઠક કરી હતી.
Prime Minister Narendra Modi chairs a high-level meeting to review the COVID-19 related situation and vaccination in the country pic.twitter.com/buGonucrx7
કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા
ભારતમાં આગામી સમયમાં તહેવારોની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આજે કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાનને લઈને પીએમ મોદીએ બેઠક કરી હતી. આ બેઠકમાં કોરોના વાયરસની વર્તમાન પરિસ્થિતિ અને તેની સામે લેવામાં આવી રહેલા પગલાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી.
ભારતમા તેજીથી થઈ રહ્યું છે કોરોના વાયરસ સામે વેક્સિનેશન
નોંધનીય છે કે ગઇકાલે જ દેશનાં કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે કહ્યું હતું એક ભારતમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે અને દેશનાં 35 જિલ્લાઓમાં કોરોના વાયરસ સંક્રમણ દર હજુ પણ 10 ટકાથી વધારે છે જ્યારે 30 જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમણ દર 5થી 10 ટકાની વચ્ચે છે. નોંધનીય છે કે ઓગસ્ટ મહિનામાં ભારતમાં બીજી તરફ તેજીથી લોકોને કોરોના વાયરસની રસી આપવામાં આવી રહી છે. થોડા દિવસ પહેલા જ ભારતમાં એક જ દિવસમાં એક કરોડ કોરોના વાયરસ વેક્સિનનાં ડોઝ આપવાનો રેકોર્ડ બન્યો હતો. મોદી સરકાર અનુસાર દેશમાં 58 ટકા વસ્તીને ઓછામાં ઓછા એક ડોઝ આપી દેવામાં આવી છે જ્યારે 18 ટકા વસ્તી એવી છે જેને કોરોના રસીનાં બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે.
આજે કેટલા કેસ સામે આવ્યા?
સ્વાસ્થ્ય મંત્રાલયનાં આંકડા અનુસાર ભારતમાં 72 કરોડ કોરોના વાયરસ વેક્સિનનાં ડોઝ આપી દેવામાં આવ્યા છે ત્યારે આજે કોરોના વાયરસનાં નવા 34 હજાર 973 કેસ સામે આવ્યા છે. ભારતમાં હજુ 3 લાખ 90 હજાર દર્દીઓ કોરોના વાયરસ સંક્રમિત છે અને મોત સામે લડી રહ્યા છે.