તાજેતરમાં જ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેદારનાથ ધામમાં દર્શન કર્યા. દર્શન કર્યા પછી જ્યારે મીડિયાની સાથે વાત કરી ત્યારે તેમણે પત્રકારોના સવાલોનો રસપ્રદ રીતે જવાબ આપ્યો.
જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પૂછવામાં આવ્યુ કે, ''શું તમે ચૂંટણીની જીત માટે બાબાની પાસે મન્નત માંગી?'' તો PM મોદીએ કહ્યુ કે, ''હું ઇલેક્શન કમિશનનો આભારી છું કે આ 2 દિવસ મને મળ્યા. મારું સૌભાગ્ય છે કે આ આધ્યાત્મિક ભૂમિ પર આવવાનો વર્ષોથી મૌકો મળે છે.''
PM મોદીએ આગળ કહ્યુ કે, ''હું ભગવાન પાસે ક્યારેય કંઇ નથી માંગતો, માંગવી મારી પ્રવૃતિ જ નથી. ભગવાને મને માંગવાનો નહી પરંતુ આપવાનો યોગ્ય બનાવ્યો છે. ગુજરાતમાં રહેતા ત્યારે પોતાની રીતે પ્રયત્ન કરતો હતો, પરંતુ પ્રધાનમંત્રી બન્યા પછી સૌભાગ્ય છે કે અહીંયા પણ ભાજપની સરકાર બની.''
પ્રધાનમંત્રી મોદીએ કહ્યુ કે, ''આફત પછી મનમાં કસક હતી, કેદારનાથની પરિસ્થિતિ ખૂબ જ પ્રતિકુળ છે. પરંતુ હવે માસ્ટર પ્લાનના આધાર પર કેદારનાથનું પૂર્નનિર્માણ કરવામાં આવશે.કાલે હું ધ્યાન ગુફામાં પહોંચ્યો હતો, આ એક એવી ગુફા છે કે, દરેક સમયે બાબાના દર્શન થાય છે. મેં ત્યાંથી પણ બાબાના દર્શન કર્યા.''
તેમણે આગળ કહ્યુ કે, ''આ પ્રવાસથી ઉત્તરાખંડ અને કેદારનાથના પર્યટનનો ફાયદો થશે. લોકોને સંદેશ મળશે કે કેદારનાથ યાત્રા સુરક્ષિત છે અને પહેલાથી વધારે સારી સુવિધાઓ મળશે.લોકો વિચારશે કે રજાઓ માટે સિંગાપુર નહી કેદારનાથ જઇએ. અહીંયા વિકાસમાં મિશનમાં પ્રકૃતિ, પર્યાવરણ અને પર્યટન શામેલ છે.''
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હર-હર મહાદેવ અને ભારત માતાની જયનો જયકાર લગાવી અને સુરક્ષાને ઘેરાવને તોડીને ધામમાં રહેલા લોકોને મળ્યા. આ દરમિયાન તેણે લોકોનું અભિવાદનનો સ્વીકાર કર્યો.