રેલવે એવા યાત્રીઓના ફોનને રિચાર્જ કરશે જે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલોનો નાશ કરનાર મશીનોનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કરવામાં આવી છે.
જો તમે ટ્રેનમાં મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે. વાસ્તવમાં, જલ્દીથી ભારતીય રેલવે તરફથી એક નવી સુવિધાની શરૂઆત કરવામાં આવશે. એ હેઠળ રેલવે તમારો મોબાઇલ નંબર ફ્રી માં રિચાર્જ કરશે. જો કે એના માટે એક શરત પણ છે. ચલો જાણીએ શું છે સમગ્ર મામલો...
વાસ્તવમાં રેલવે એવા યાત્રીઓના ફોનને રિચાર્જ કરશે જે સ્ટેશનો પર પ્લાસ્ટિક બોટલોનો નાશ કરનાર મશીનોનો ઉપયોગ કરશે. રેલવે તરફથી આ પહેલ સિંગલ યૂઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ખતમ કરવા માટે કરવામાં આવી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર રેલવે બોર્ડના અધ્યક્ષ વીકે યાદવે જણાવ્યું કે સ્ટેશનો પર બોટલોને નષ્ટ કરવા માટે 400 મશીનો લગાવવામાં આવશે. એનો ઉપયોગ કરનાર યાત્રીઓએ મશીનમાં પોતાનો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે અને ત્યારબાદ એમનો મોબાઇલ ફોન રિચાર્જ થઇ જશે.
જો કે રેલવે તરફથી રિચાર્જની ડિટેલ જાણકારી હજુ સુધી આપવામાં આવી નથી. એની સાથે જ રેલવેએ નિર્દેશ જારી કર્યો છે કે આ વર્ષે 2 ઓક્ટોબરથી એમના પરિસરોમાં એક વખત પ્રયોગમાં લાવવામાં આવેલી પ્લાસ્ટિકનો ઉપયોગ થશે નહીં.
વીકે યાદવ પ્રમાણે હાલ 128 સ્ટેશનો પર બોટલ નષ્ટ કરનારી 160 મશીનો લગાવવામાં આવી છે. આ પહેલા રેલ મંત્રાલયે તમામ વિક્રેતાઓ અને કર્મચારીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાવવા માટે રિસાઇકલ બેગનો પ્રયોગનો નિર્દેશ આપ્યો હતો.
જણાવી દઇએ કે પ્રધાનમંત્રી મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાનું સંબોધનમાં સિંગલ યૂઝ પ્લાસ્ટનો ઉપયોગ બંધ કરવા અને પ્લાસ્ટિક બોટલનો વિકલ્પ શોધવાની અપીલ કરી હતી.