જકાર્તા: પહેલી વખત ઇન્ડોનેશિયાની મુલાકાતે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આજે રાજધાની જકાર્તામાં જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સમ્માનની સાથે એ ત્યાં હાજર નાના બાળકોના હાથમાં તિરંગો ઝંડો લઇને પીએમ મોદીનું સ્વાગત કર્યું. બંને દેશની વચ્ચે રક્ષા સહયોગ સહિત કુલ 15 કરાર પર હસ્તાક્ષર થયા.
જકાર્તામાં પીએમ મોદીએ ભારતીય સમુદાયને સંબોધિત કર્યા. એ દરમિયાન એમને કહ્યું કે જે પ્રકારે સવા સો કરોડ ભારતીયોએ મારા જેવા એક સાધારણ નાગરિકને પ્રધાન સેવક બનવાની તક આપી એમ જ ઇન્ડોનેશિયાની જનતાએ રાષ્ટ્રપતિ વિડોડોને પસંદ કર્યા.
છેલ્લા ચાર વર્ષોમાં સવા સૌ કરોડ ભારતીયોના પ્રતિનિધિના રૂપમાં દુનિયામાં જ્યાં જ્યાં હું ગયો મારો પ્રયત્ન રહ્યો છે કે તમારા જેવા એ લાખો બંધુઓ અને બહેનોને મળું જે મૂળ ભારત ભૂમિમાં છે. ભારત અને ઇન્ડોનેશિયાનો સંસકૃત અને સંસ્કૃતિનો સંબંધ છે.
પીએમ મોદીએ કહ્યું કે ભારતમાં રેકોર્ડ સ્તર પર વિદેશી રોકાણ થઇ રહ્યું છે. ભારતની ફોરેન એક્સેન્જ રિઝર્વ લગભગ 300 બિલિયન ડોલરથી વધીને 400 બિલિયન ડોલરની પાસ પહોંચી ગઇ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જકાર્તાની સૌથી મોટી ઇસ્તિકલાલ મસ્જિદ પણ ગયા. અહીંયા એમની સાથે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પણ હાજર હતા. પીએમ મોદી મસ્જિદ જોયા બાદ અર્જુન રથ જોવા પણ પહોંચ્યા. મહાભારતના યુદ્ધની ઝલકને એક ચટ્ટાન પર કલાકૃતિના દ્વારા દર્શાવવામાં આવી છે જે સેન્ટ્રલ જકાર્તામાં સ્થિત છે.
ત્રણ દેશની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં ઇન્ડોનેશિયા પહોંચેલા પ્રધાનમંત્રીએ આજે ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો. રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી અને ડેલીગેશન સ્તરની બેઠક બાદ પીએમ મોદી 'પતંગ પ્રદર્શની' પહોંચ્યા અને મહોત્સવનું ઉદ્ધાટન કર્યું.
આ પતંગ પ્રદર્શવની ખૂબ જ ખાસ છે. એને રામાયણ-મહાભારતની થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે. પતંગોને એ જ અંદાજથી ડિઝાઇન કરવામાં આવ્યા છે. પીએમ મોદી પતંગ મહોત્સવ ઉદ્ધાટન દરમિયાન પતંગબાજી પણ કરતાં જોવા મળ્યા. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સાથે પીએમ મોદીએ પતંગ ઉડાવ્યો.
#WATCH PM Narendra Modi and Indonesian President Joko Widodo fly kites at a Kite exhibition in Jakarta pic.twitter.com/pQg39OgvOZ
ભારત ઇન્ડોનેશિયાના સંયુક્ત નિવેદન દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા છે અને આ યાત્રાના શાનદાર પ્રબંધ માટે રાષ્ટ્રપતિનો આભાર માનું છું. એમને કહ્યું કે બાળકોએ જે રીતે મારું સ્વાગત કર્યું હતું એમને મારું દિલ જીતી લીધું.
પીએમ મોદીએ આગળ કહ્યું 'તાજેતરમાં થયેલા આંતકી હુમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોનું માર્યા ગયાનું ખૂબ દુખ છે. ભારત આ પ્રકારના હુમલાની જોરદાર ટીકા કરે છે. આ મુશ્કેલ સમયમાં ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબૂતી સાથે ઊભું છે.'