પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો દરેક અંદાજ ખાસ હોય છે. દર વખતે તેઓ કંઇક એવુ કરે છે જેનાથી લોકો ચોંકી જાય છે. સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાથી દેશને સંબોધિત કર્યા પછી પ્રોટોકોલ તોડતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બાળકોને મળવા માટે પહોંચ્યા હતા.
શાળાના બાળકો પ્રધાનમંત્રી મોદીને મળીને ખુશ દેખાઇ રહ્યા હતા, કેટલાક બાળકોએ કહ્યુ કે, ''અમારા પ્રધાનમંત્રી જ અમારા હીરો છે અને તેમને મળીને અમને ખુશી મળી.''
લાલા કિલ્લા પરથી ભાષણ આપીને જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નીચે આવ્યા તો પોતાની ગાડીમાંથી ઉતર્યા અને બાળકોની વચ્ચે પહોંચી ગયા, તો ચારેય તરફથી બાળકોએ તેમને ઘેરી લીધા. દરિયાગંજની એક સરકારી શાળામાં ભણતી 13 વર્ષીય મેહવીશ પરવીને કહ્યુ કે, ''અમને વિશ્વાસ નથી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમારી આટલા નજીક હતા, જેમ તેઓ અમારી તરફ આગળ વધી રહ્યા હતા, તો અમે તરત જ ભાગ્યા અને પ્રધાનમંત્રી સાથે હાથ મિલાવ્યો.''
તો ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા 14 વર્ષી આફરીન શરીફે કહ્યુ કે, ''અમે અમારા ટિચરને કહ્યુ હતુ કે અનુશાસનનું પાલન કરજો, પરંતુ જેવા અમે બધાએ પ્રધાનમંત્રીને જોયા તો તરત જ તેમને મળવા માટે ભાગ્યા.'' જોકે આફરીન દુખી છે કેમકે તે પ્રધાનમંત્રી સાથે હાથ ના મિલાવી શકી.
તો બીજી તરફ દિલ્હીની એક સરકારી શાળામાં સાતમા ધોરણમાં ભણતી વિદ્યા કુમારીએ કહ્યુ કે, ''અમારા પ્રધાનમંત્રી જ અમારા હીરો છે. અમારા માટે પ્રેરણા છે, ભલે તેમનુ ભાષણ લાંબુ હતુ પરંતુ તેઓ દેશની વાત કરી રહ્યા હતા અને તેમને સાંભળવુ સારુ લાગતુ હતુ.ઘણી એવી બાબતોનો ઉલ્લેખ કર્યો જેની જાગરૂકતા જરૂરી છે.''
તમને જણાવી દઇએ કે, દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી મોદીએ બાળકોની સાથે મુલાકાત કરે છે. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે 73માં સ્વતંત્રતા દિવસે છઠ્ઠી વખત લાલ કિલ્લા પર તિરંગો લહેરાવ્યો હતો.પોતાના ભાષણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવનારા પાંચ વર્ષનો લક્ષ્ય દેશની સામે રાખ્યો. પ્રધાનમંત્રીએ આ દરમિયાન જળસંકટ, જનસંખ્યા સહિય અન્ય સામાજિક મુદ્દાને લઇને વાતચીત કરી.