આમ તો ટેક્સ આપનારની સંખ્યા વધારવા માટે નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે. પરંતુ આશા કરતા હજુ પણ ઇનકમ ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા ઓછી છે. આ જ કારણે વારંવાર પીએમ નરેન્દ્ર મોદી ટેક્સ રિટર્ન ભરનારની સંખ્યા વધારવા પર જોર આપી રહ્યા છે. જોકે, ગત બુધવારે એક કાર્યક્રમમાં પીએમ નરેન્દ્ર મોદીએ ઇનકમ ટેક્સને લઇને એક એવો આંકડો આપ્યો, જેની વિપક્ષ ટીકા કરી રહ્યું છે.
ટેક્સ આપનારની સંખ્યા વધારવા માટે નરેન્દ્ર મોદી સરકાર સતત પ્રયાસ કરી રહી છે
પીએમ નરેન્દ્ર મોદીએ ઇનકમ ટેક્સને લઇને અયોગ્ય આંકડા જાહેર કર્યા, વિપક્ષે કરી ટીકા
પીએમ નરેન્દ્ર મોદીએ ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા ખુબ જ ઓછી હોવાનો હવાલો આપ્યો
સૌથી પહેલા જાણો PM મોદીએ શું કહ્યું
પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ ટેક્સ ચૂકવનાર લોકોની સંખ્યા ખુબ જ ઓછી હોવાનો હવાલો આપતા કહ્યું હતું કે 3 કરોડથી વધારે ભારતીય બિઝનેસના કામથી વિદેશ ગયા છે. પંરતુ સ્થિતિ એવી છે કે 130 કરોડ લોકોના દેશમાં માત્ર દોઢ કરોડ લોકો જ ઇનકમ ટેક્સ (Income Tax) આપે છે. પીએમ મોદીએ કાર્યક્રમમાં કહ્યું કે દર વર્ષે 50 લાખથી વધારે આવક જાહેર કરનારની સંખ્યા માત્ર 3 લાખ છે. જ્યારે દર વર્ષે માત્ર 2200 લોકો એવા છે જે પોતાની વાર્ષિક ઇનકમ એક કરોડથી વધારે બતાવે છે.
આંકડાઓ પર વિપક્ષે પીએમ મોદીને ઘેર્યા
ઇનકમ ટેક્સના આ આંકડા પર વિપક્ષે પીએમ મોદીને ઘેરવાનું શરૂ કરી દીધું છે. વિપક્ષનો આરોપ છે કે પીએમ મોદી ટેક્સ આપનારની સંખ્યાને ઓછી બતાવી રહ્યા છે. માકપાના મહાસચિવ સીતારામ યેચૂરીને ટ્વિટ કરી કહ્યું, 'પીએમ મોદી મુજબ, પ્રત્યેક ભારતીય ચોર છે, જ્યારે તેમની પાર્ટી (BJP) એ ઇલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા કરોડો રૂપિયા મેળવ્યા છે.'
તેઓએ પીએમ મોદીને પૂછ્યું, 'જો કોઇપણ વ્યક્તિ ટેક્સ આપી રહ્યો નથી તો ખુદ મોદી ગત 6 વર્ષમાં શું કરી રહ્યા છે? શું તેઓએ નોટબંધી કરતા સમયે આ દાવો નહોતો કર્યો કે તેનાથી કાળુ નાણુ અને કર ચોરી પર રોક લાગશે?
CBDT બતાવી સાચી તસવીર
આ હોબાળા વચ્ચે CBDT તરફથી ઇનકમ ટેક્સ ભરનારના સાચા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. સીબીડીટી (CBDT) એ જણાવ્યું કે ચાલૂ નાણાકીય વર્ષ દરમિયાન 5.78 કરોડ લોકોએ વર્ષ 2018-19ની આવકનો ખુલાસો કર્યો છે. તેમાંથી 1.03 કરોડ લોકોએ 2.5 લાખ રૂપિયાથી ઓછી આવક બતાવી છે અને 3.29 કરોડ લોકોએ 2.5-5 લાખ સુધીની ટેક્સ યોગ્ય આવકનો ખુલાસો કર્યો છે.
Certain misinformation is being circulated in Social Media pertaining to individual return filers.
CBDT clarifies:
During the current financial year, 5.78 crore individuals filed returns disclosing income of financial year 2018-19..1/6
ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના એક ટ્વીટમાં જણાવ્યું કે, વર્તમાન નાણાકીય વર્ષ દરમિયાન દાખિલ કરવામાં આવેલ 5.78 કરોડ રિટર્નમાંથી 4.32 કરોડો લોકોને 5 લાખ રૂપિયા સુધીની આવકનો ખુલાસો કર્યો છે. આ એ લોકો છે જેમને નાણાકીય અધિનિયમ, 2019 હેઠળ 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ છૂટનો ફાયદો મળ્યો છે.