પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પુણેના દેહુમાં તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું.આ દરમિયાન તેમણે ભારતની સંત પરંપરાના પણ વખાણ કર્યા હતા.
પીએમ મોદી આજે પુણેની મુલાકાતે
દેહુમાં આવેલા સંત તુકારામ મંદિરનું ઉદ્ધાટન કર્યું
સંત પરંપરાના વખાણ કર્યા
પ્રધાનમંત્રી મોદીએ મંગળવારે પુણેના દેહુમાં તુકારામ મહારાજ મંદિરનું ઉદ્ધાટન કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આપણા શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, મનુષ્ય જન્મોમાં સૌથી દુર્લભ સંતોનો સત્સંગ છે. સંતોની કૃપા અનુભૂતિ થઈ ગઈ તો, ઈશ્વરની અનુભૂતિ આપોઆપ થઈ જાય છે. આજે દેહૂની આ પવિત્ર તીર્થ ભૂમિ પર આવીને મને આવો જ અનુભવ થઈ રહ્યો છે.
#WATCH | Prime Minister Narendra Modi offered prayers to Sant Tukaram Maharaj at Sant Tukaram temple in Dehu, Pune today.
પીએમ મોદીએ કહ્યું કે, દેહૂનું શિલા મંદિર ફક્ત ભક્તિની શક્તિનું કેન્દ્ર જ નથી, પણ ભારતના સાંસ્કૃતિક ભવિષ્યને પ્રશસ્ત કરે છે. આ પવિત્ર સ્થાન પર પુનર્નિમાણ કરવા માટે હું મંદિર ન્યાસ અને તમામ ભક્તોનો આભાર પ્રગટ કરું છું.
One or the other great soul does appear in every era to show the path to the country & society. Today we're celebrating Sant Kabir Das Jayanti. It's also the 725th year of the samadhi of Sant Dnyaneshwar Maharaj, Sant Nivruttinath Maharaj, Sant Sopandeo and Adishakti Muktabai: PM pic.twitter.com/S4Ws13XhVs
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, મને ગર્વ છે કે, આપણે દુનિયાની પ્રાચીન જીવિત સભ્યતાઓમાંથી એક છીએ. તેનો શ્રેય ભારતની સંત પરંપરાને જાય છે. તેમણે કહ્યું કે, ભારત શાશ્વત છે. કારણ કે ભારત સંતોની ધરતી છે. દરેક યુગમાં આપણા ત્યા, દેશ અને સમાજને દિશા આપવા માટે કોઈને કોઈ મહાન આત્મા અવરિત થતાં રહે છે.
પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે દેશ સંત કબીરદાસની જયંતિ મનાવી રહ્યું છે. સંત તુકારામજીની દયા, કરુણા અને સેવાનો બોધ તેમના ઉભંગો તરીકે આજે અમારી પાસે છે. આ અભંગોએ આપણી પેઢીઓને પ્રેરણા આપી છે, જે ભંગ થતાં નથી, જે સમયની સાથે શાશ્વત અને પ્રાસંગિક રહે છે, તે જ અભંગ છે.