પીએમ મોદીએ આજે ઓનલાઈન રમકડાં મેળાનું ઉદ્ઘાટન કર્યું અને રમકડાંને લઈને દેશને સંબોધિત કર્યું હતું.
શરૂ થયો ભારતનો પહેલો ઓનલાઇન રમકડાનો મેળો
રમકડાના ઉદ્યોગને વધુ આગળ લઇ જવો છે : પીએમ મોદી
રમકડાં ઉદ્યોગમાં છુપાયેલી છે તાકાત : પીએમ મોદી
ધ ટોય ફેર-2021નું આયોજન
પીએમ નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉંફરેન્સિંગના માધ્યમથી રમકડાં મેળા (ટોય ફેર) 2021નું ઉદ્ઘાટન કર્યું. દેશી રમકડાંને પ્રોત્સાહન આપવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે ચાર દિવસ સુધી ચાલશે. આ મેળાની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે આ કાર્યક્રમ દેશની સદીઓ જૂની રમત અને ઉલ્લાસની સંસ્કૃતિને મજબૂત કરવાની કડી છે.
રમકડાના વેપારી સાથે PM મોદીનો સંવાદ
પીએમ મોદીએ આજે રમકડાંના વેપારીઓ સાથે સંવાદ પણ સાધ્યો અને કહ્યું કે તમારા સાથે વાત કરીને ખબર પડી રહી છે કે દેશમાં રમકડાં ઉદ્યોગમાં કેટલી મોટી શક્તિ છુપાયેલી છે. આ તાકાતને વધારવું અને તેને પ્રોત્સાહન આપવું એ આત્મનિર્ભર ભારતમાં ખૂબ મોટો હિસ્સો છે. ઈન્ડિયા ટોય ફેરમાં પીએમ મોદીએ કહ્યું કે આજે જે ચેસ દુનિયામાં રમવામાં આવે છે તે પહેલાથી જ ભારતમાં રમવામાં આવી હતી. આધુનિક લૂડો પણ પચ્ચીસીના રૂપમાં રમવામાં આવતો હતો.
પીએમ મોદીએ ભમરડાનું આપ્યું ઉદાહરણ
પીએમ મોદીએ કહ્યું કે આપણાં રમકડાં પ્રાકૃતિક અને ઈકો ફ્રેન્ડલી વસ્તુઓથી બનતા હતા અને તેમાં ઉપયોગમાં આવતા રંગો પ્રાકૃતિક અને સુરક્ષિત હતા. આપણાં ધર્મગ્રંથોમાં બાળક સ્વરૂપ રામ ભગવાન માટે કેટલા બધા રમકડાંનો ઉલ્લેખ છે. પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ખેલ અને રમકડાંની ખાસિયત છે કે તેમાં જ્ઞાન પણ ખૂબ હોય છે તથા વિજ્ઞાન અને મનોરંજન હોય છે. ઉદાહરણ રૂપે ભમરડો જ જોઈ લો. બાળકો ભમરડો રમે ત્યારે તેમાં ગુરુત્વાકર્ષણ બળ અને સંતુલન વિશે પણ શીખી જે છે.
ભારતમાં 80 ટકા રમકડાઓ વિદેશથી આવે છે
આત્મનિર્ભર ભારત અભિયાનમાં વોકલ ફોર લોકલ અંતર્ગત આજે ધ ટોય ફેર-2021નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. તેનું લક્ષ્ય રમકડા ઉત્પાદનનું વૈશ્વિક હબ બનાવવાનું છે. ટોય ફેરમાં અત્યાર સુધી 10 લાખ રજિસ્ટ્રેશન થઇ ચૂક્યા છે અને જે વિજેતા થશે તેને 50 લાખનું ઇનામ અપાશે. નોંધનીય છે કે ભારતમાં 1.5 અરબ ડોલરનું રમકડાઓનું માર્કેટ છે જેમાં 80 ટકા રમકડાઓ વિદેશથી આવે છે.