બિહારમાં આવનારા મહિનામાં વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલા પીએમ નરેન્દ્ર મોદી બિહારમાં આજે 7 પરિયોજનાઓની ભેટ આપવાના છે. આ પરિયોજનામાં કુલ 541 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. ત્યારે બિહાર ચૂંટણીને લઈને પરિયોજના ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે.
રિવરફ્રંટ, સુએજ ટ્રિટમેન્ટ અને જળ આપૂર્તિ સાથે જોડાયેલી છે યોજનાઓ
7 પરિયોજનાઓનો કુલ ખર્ચ 541 કરોડ રૂપિયા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12 વાગે વર્ચ્યૂઅલ માધ્યમથી 7 પરિયોજનાનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કરશે. જેમાં રિવરફ્રંટ, સુએજ ટ્રિટમેન્ટ અને જળ આપૂર્તિ સાથે યોજનાઓ જોડાયેલી છે. બિહારના વિકાસ માટે અગત્યની યોજનાઓ માનવામાં આવે છે. અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂતી મળશે.
આજે કરવામાં આવનારા પરિયોજનામાં 4 પરિયોજના જળ, આપૂર્તિ 2 સીવરેજ ટ્રીટમેન્ટ અને એક રિવર ફ્રન્ટના વિકાસ સાથે જોડાયેલી છે. આ પરિયોજનાઓમાં કુલ ખર્ચ 541 કરોડ રુપિયા છે. બિહારના શહેરી વિકાસ અને આવાસ વિભાગ હેઠળ BUIDCO દ્વારા કરવામાં આવ્યા છે. આ પ્રસંગમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પર હાજર રહેશે.
પટના નગર નિગમમાં બેઉર અને કર્મલીચરમાં નમામિ ગંગે હેઠળ સીવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ધાટન થશે. તેમજ જળ આપુર્તિ અમૃત મિશન યોજનાનું ઉદ્ધાટન થશે. આ લોકોને 24 કલાક શુદ્ધ પાણીની મદદ મળશે.