પ્રધાનમંત્રી મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં એરપોર્ટ અન્ય વિવધ વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઝારખંડના મુખ્યમંત્રી અને રાજ્યપાલ પણ હાજર રહ્યા હતા.
પીએમ મોદી આજે ઝારખંડના પ્રવાસે
ઝારખંડને આપી કરોડોની ભેટ
દેવઘરને મળ્યું અત્યાધુનિક એરપોર્ટ
પ્રધાનમંત્રી મોદીએ આજે ઝારખંડના દેવઘરમાં એરપોર્ટ અન્ય વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ધાટન કર્યું હતું. આ અવસરે રાજ્યના મુખ્યમંત્રી હેમંત સોરેન અને રાજ્યપાલ રમેશ બૈસ પણ હાજર રહ્યા હતા. પીએમે અહીં 16,800 કરોડના ખર્ચે તૈયાર થયેલા વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, બાબા વૈદ્યનાથના આશીર્વાદથી આજે 16 હજાર કરોડ રૂપિયાથી વધારેના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ થયો છે. તેનાથી ઝારખંડની આધુનિક કનેક્ટિવિટી, ઊર્જા, સ્વાસ્થ્, આસ્થા અને પર્યટનને અધિક બળ મળશે.
પીએમ મોદીએ કહ્યું કે, રાજ્યના વિકાસને રાષ્ટ્રનો વિકાસ, દેશ છેલ્લા 8 વર્ષોથી આ વિચાર સાથે કામ કરી રહ્યો છે. છેલ્લા 8 વર્ષોમાં હાઈવે, રેલ્વે, એરવે, વોટરવે, દરેક પ્રકારથી ઝારખંડને કનેક્ટ કરવાની કોશિશમાં પણ આ વિચાર, ભાવના સર્વોપરિ રહી છે. પીએમ મોદીએ આગળ કહ્યું કે, આજે સરકારના પ્રયત્નોનો લાભ સમગ્ર દેશમાં દેખાઈ રહ્યો છે. ઉડાન યોજના છેલ્લા 5-6 વર્ષમાં લગભગ 70 જગ્યા પર એરપોર્ટ્સ, હેલીપોર્ટ્સ અને વોટર એરોડોમ્સના માધ્યમથી જોડવામાં આવ્યું છે. 400થી વધારે નવા રૂટ્સ પર આજે સામાન્યમાં સામાન્ય નાગરિક હવાઈ મુસાફરી કરી રહ્યો છે.
પીએમ મોદીએ કહ્યુ કે, કનેક્ટિવિટીની સાથે સાથે દેશની આસ્થા અને આધ્યત્મ સાથે જોડાયેલ મહત્વના સ્થળો પર સુવિધાઓનું નિર્માણ પર પણ કેન્દ્ર સરકાર ભાર આપી રહી છે. બાબા વૈદ્યનાથ ધામમાં પણ પ્રસાદ યોજના અંતર્ગત આધુનિક સુવિધાનો વિસ્તાર કરવામાં આવ્યો છે.