નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમવારે પોતાના સંસદીય મતદાન ક્ષેત્ર વારાણસીમાં દેશની પહેલી મસ્ટી મોડલ ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. પીએમ મોદીએ ગંગા પર બનેલ મલ્ટી-મોડલ ટર્મિનલનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ અને કેન્દ્રીયમંત્રી નિતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. પીએમ મોદી કાશીને 2413 કરોડ રૂપિયાની પરિયોજનાઓની દિવાળી ભેટ આપી.
દેશનું સપનુ સાકાર થયું: પીએમ મોદી
ત્યાર બાદ જનસભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે વારાણસી અને દેશ વિકાસના તે કાર્યનું સાક્ષી બન્યો છે જે વર્ષો પહેલા થવું જોઇતું હતું. પીએમ મોદીએ કહ્યું કે દેશે જે સપનું જોયું હતું તે આજે સાકાર થયું છે. તેમણે કહ્યું કે બાબતપુર એરપોર્ટથી શહેરને જોડનાર રોડ રિંગ રોડ કનેક્ટિવિટીથી જોડાયેલ પ્રોજેક્ટ વીજળીના તારને અંડરગ્રાઉન્ડ કરવાથી જોડાયેલ પરિયોજના માં ગંગાને પ્રદૂષણ મુક્ત કરવાના પ્રયાસોને બળ આપનારી અનેક પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવ્યો છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે જ્યારે અમે હલ્દિયા ઘાટ પર જળમાર્ગેથી વેપાર કરવાનો પ્રસ્તાવ રાખ્યો હતો ત્યારે મારી મજાક બની હતી પરંતુ આજે જ્યારે કન્ટેનર કોલકાતાથી અહીં આવ્યું તો સૌના મોં બંધ થઇ ગયા છે.
સરકારે લીધો નદિઓના જીવનદાનનો સંકલ્પ
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે 800 કરોડ રૂપિયાના ખર્ચે બાબતપુર એરપોર્ટને શહેરને જોડનાર રોડ માત્ર પહોળો જ નથી થયો પરંતુ દેશ-વિદેશના પર્યટકો આ તરફ આકર્ષવા લાગી છે. તેમણે કહ્યું કે ગત 4 વર્ષોમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થયો છે. દુર્ગમ સ્થળો પર નવા એરપોર્ટ નોર્થઇસ્ટના દૂરના વિસ્તારોમાં પહેલીવાર ટ્રેન પહોંચી રહી છે. તેમણે કહ્યું કે અમારી સરકારે નદીઓના જીવનદાનનો પણ સંકલ્પ લીધો છે.
Happy to be in Kashi. Inaugurating several development projects. Watch my speech. https://t.co/2slKAFH3ml
ગંગા કિનારાના ગામડાઓ શૌચમુક્ત થયા
પીએમ મોદીએ કહ્યું કે નમામિ ગંગે મિશન હેઠળ અત્યાર સુધીમાં 23 હજાર કરોડ રૂપિયાની પરિયોજનાઓને મંજૂરી અપાઇ ચૂકી છે. ગંગાના કિનારે અંદાજિત તમામ ગામડાઓ હવે શૌચ મુક્ત થઇ ચૂક્યા છે. આ પ્રોજેક્ટ ગંગોત્રીથી લઇને ગંગાસાગર સુધી ગંગાને અવિરલ નિર્મલ બનાવવામાં અમારા સંકલ્પનો ભાગ છે.
પીએમ મોદીએ આસ્થા પવિત્રતાના પર્વ છઠની શુભેચ્છા આપી. તેમણે કહ્યું કે આ વખતે મારૂ સૌભાગ્ય રહ્યું કે મને દિવાળીના દિવસે બાબા કેદારનાથના દર્શન કરવાનો અવસર મળ્યો. હવે બાબા વિશ્વનાથની નગરીમાં આશીર્વાદ લેવાનો મોકો મળ્યો છે. તેમણે કહ્યું કે કાશી માટે સમગ્ર ભારત માટે આજે આ ઐતિહાસિક દિવસ છે.