વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વારણસીની મુલાકાતે પહોંચ્યાં છે. પીએમ મોદીએ વારાણસી ખાતે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
PM મોદીએ વૃક્ષારોપણ અભિયાનની શરૂઆત કરાવી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસી ખાતે વૃક્ષારોપણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો છે. આ અભિયાન હેઠળ 22 લાખ વૃક્ષોનું રોપણ કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ કાર્યક્રમ દરમિયાન સીએમ યોગી આદિત્યનાથ સહિત નેતાઓ ઉપસ્થિત રહ્યાં
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ વારણસીની મુલાકાતે પહોંચ્યાં છે. જ્યાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તેમજ રાજ્યપાલે તેમનું ભવ્ય સ્વાગત કર્યું છે. ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એરપોર્ટ પર પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે.
PM Narendra Modi inaugurates a statue of former Prime Minister of India Lal Bahadur Shastri at Varanasi airport pic.twitter.com/xfUriPKZAm
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં બજેટને લઇને વિસ્તારથી ચર્ચા કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. એરપોર્ટ પર રાજ્યપાલ રામ નાઇક, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ભાજપ પ્રદેશ પ્રમુખ તેમજ કેન્દ્રીય પ્રધાન મહેન્દ્રનાથ પાંડેય, ભાજપના કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત નેતાઓએ સ્વાગત કર્યું.
PM Narendra Modi arrives in Varanasi to launch BJP's membership drive. He was welcomed upon arrival by BJP Working President JP Nadda, UP CM Yogi Adityanath and party's UP Chief MN Pandey pic.twitter.com/i4pVbFk8O6
ભાજપ દ્વારા પક્ષને મજબૂત બનાવવા સદસ્યતા નોંધણી અભિયાન શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે ભાજપ ભારતીય જનસંઘના સંસ્થાપક શ્યામા મુખર્જીની જ્યંતી પ્રસંગે વારાણસીમાં સદસ્યતા અભિયાન શરૂ કરવાને લઈને PM નરેન્દ્ર મોદી કાશીના પ્રવાસે છે. જ્યાં તેઓ ભાજપના સદસ્યતા અભિયાનની શરૂઆત કરશે. આ પ્રસંગે તેઓ 5 હજાર કાર્યકર્તાઓને પણ સંબોધન કરશે.