નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી રહેતા 2011માં મુસ્લિમ ઇમામના હાથે ટોપી પહેરવાની ન પાડી દીધી હતી. હવે સાત વર્ષ બાદ નરેન્દ્ર મોદી દેશના પીએમ છે. મધ્ય પ્રદેશના ઇન્દોરમાં દાઉદી વહોરા સમુદાયના કાર્યક્રમમાં સામેલ થવા માટે સૈફી મસ્જિદ પહોંચ્યા જ્યાં તેમને શાલ ઓઢાડવામાં આવી અને તસબી આપવામાં આવી જેનો તેમણે સહર્ષ સ્વીકાર કરી લીધો હતો.
જણાવી દઇએ કે 2002ના ગુજરાતના રમખાણ બાદ હિંદુ-મુસ્લિમ વચ્ચે દિવાલ ઉભી થઇ ગઇ હતી. જેને તોડવા માટે નરેન્દ્ર મોદીએ 2011માં સામાજિક સદ્ભાવના કાર્યક્રમ શરૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં ઇમામ મેંહદી હસન બાબાએ જ્યારે એક ગોળ ટોપી કાઢીને મોદીને પહેરાવવા માટે આગળ વધ્યા તો તેમણે તેમને રોકી દીધા. ત્યારે તેમણે ટોપી નહોતી પહેરી.
ટોપી ન પહેરવા પર મોદીની મોટા પ્રમાણમાં આલોચના કરવામાં આવી હતી. આને તેની મુસલમાન વિરોધી માનસિકતા કહેવામાં આવી હતી. જો કે તેમણે ત્યાર બાદ ક્યારેય મુસ્લિમ સમુદાયની ટોપી નહોતી પહેરી જ્યારે બીજા ધર્મના પ્રતીક ચિહ્નોને તેઓ સ્વીકાર કરતા રહે છે. પછી સિખ સમુદાયની પાઘડી હોય કે પછી ઇઝરાયલમાં યહુદી સમુદાયની પરંપરાગત ટીપને પહેરવાની હોય. તેમણે તેનો સ્વીકાર કર્યો.
સાત વર્ષ બાદ આજે નરેન્દ્ર મોદી દેશના પીએમ છે. તેમણે દાઉદી વ્હોરા મુસ્લિમ સમુદાયના 53માં ધર્મગુરુ સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની સાથે કાર્યક્રમમાં ભાગ લીધો. પીએમ ઉઘાડા પગે સૈફી મસ્જિદમાં પ્રવેશ કર્યો અને મજલિસમાં સામેલ થયા.
પીએમ મોદીએ આ સમયે હઝરત ઇમામ હુસૈનની શહીદીના સ્મરણોત્સવ 'અશરા મુબારકા'માં ઉપસ્થિત જન સમુદાયને સંબોધિત કર્યા. આ દરમિયાન પીએમ મોદીએ વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદનાએ તાવીજ પણ આપ્યું. એટલું જ નહીં મોદીને શાલ પણ ઓઢાડી જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો.
મોદીએ સમગ્ર કાર્યક્રમમાં સૈયદાન દ્વારા ઇમામ હુસૈનની શહીદી પર પઢાયેલ મજલિસને સાંભળી. હુસૈનના દુખમાં વાંચવામાં આવતા મરસિયાને સાંભળતા રહ્યા અને માતમમાં સામેલ થયા. ત્યારબાદ તેમણે કહ્યું કે ઇમામ હુસૈન શાંતિ અને ન્યાય માટે શહીદ થયા.