પીએમ નરેન્દ્ર મોદી આજથી બે દિવસીય કર્ણાટક પ્રવાસ પર છે. અહીં પીએમ મોદીએ ઘણા મોટા કાર્યક્રમમાં ભાગ લેવાનો છે. પીએમ મોદીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા, અહીં તેઓએ એક જનસભાને પણ સંબોંધન કર્યું.
PM મોદી આજથી બે દિવસીય કર્ણાટક પ્રવાસ પર છે
પીએમ મોદીએ આજે તુમકુરમાં શ્રી સિદ્ધગંગા મઠના દર્શન કર્યા
પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપતો પણ ખેડૂતોને આપવામાં આવ્યો
આ ઉપરાંત પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજનાનો ત્રીજો હપતો પણ ખેડૂતોને આપવામાં આવ્યો. ત્રણ જાન્યુઆરીએ પીએમ મોદી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં ઉપસ્થિત રહેશે.
Karnataka: Prime Minister Narendra Modi offered prayers at Sree Siddaganga Mutt in Tumakuru, earlier today. pic.twitter.com/9smpSD2o5g
પીએમ મોદીએ તુમકુરમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો ત્રીજો હપતો ખેડૂતોને આપ્યો. પીએમ મોદીએ અહીં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા 12000 કરોડ રૂપિયાની રાશિને ટ્રાન્સફર કરી જે 6 કરોડ ખેડૂતોના ખાતામાં ગયા. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 6 હજાર રૂપિયાની રાશિ મળે છે. પીએમ સન્માન નિધિ હેઠળ ખાતામાં પહોંચનારી આ ત્રીજો હપતો છે.
PM Modi: Pakistan was formed on the basis of religion, religious minorities were being persecuted there. The persecuted were forced to come to India as refugees. But Congress and its allies don't speak against Pakistan, instead they are taking out rallies against these refugees pic.twitter.com/3DzOLeHfY2
પીએમ મોદીએ ગુરુવારે શ્રી સિદ્ધગંગા મઠ મ્યૂઝિયમનો પાયો નાંખ્યો. ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધિત પણ કરી. પીએમ મોદીએ કહ્યું કે, આજે ઘણા વર્ષો બાદ અહીં આવવાની તક મળી છે.
પીએમ મોદીએ કહ્યું કે, કેટલાક સપ્તાહ પહેલા સંસદમાં CAA પાસ થયું, કોંગ્રેસ અને તેમના સાથીએ સંસદમાં વિરોધ કર્યો. જેવી ઘૃણા તેઓ અમને કરે છે, તેવો જ સ્વર દેશની સંસદની વિરુદ્ધ દેખાડી રહ્યા છે. આ લોકો ભારતના સંસદ વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે.
તેઓએ કહ્યું કે, પાકિસ્તાનનો જન્મ ધર્મના આધાર પર થયો હતો, દેશ ધર્મના આધારે વહેંચાયો હતો. ભાગલાના સમયે જ પાકિસ્તાનમાં બીજા ધર્મના લોકોની સાથે અત્યાચાર શરૂ થઇ ગયો હતો, સમયની સાથે પાકિસ્તાનમાં હિન્દૂ-જૈન-શીખ-બૌદ્ધ પર ધર્મના આધાર પર અત્યાચાર વધતો ગયો છે. હજારો લોકોને ત્યાંથી પોતાનું ઘર છોડીને ભારત આવવું પડ્યું છે. પાકિસ્તાને હિન્દુઓ પર અત્યાચાર કર્યો, પરંતુ કોંગ્રેસ પાકિસ્તાનની વિરુદ્ધ નથી બોલતી.