ઇન્ફાલ: ઇન્ફાલ: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિશ્વવિદ્યાલય પરિસરમાં શરૂ થવા જઇ રહેલી વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ધાટન કર્યું છે. પ્રદેશમાં પહેલી વખત થવા જઇ રહેલા આ 3 દિવસનું સંમેલનમાં દેશભરમાં ઓછામાં ઓછા 5000 પ્રતિનિધિઓ ભાગ લઇ રહ્યા છે. 5000 પ્રતિનિધિઓમાંથી 2000 વૈજ્ઞાનિકો છે.
પીએમએ આ કાર્યક્રમમાં પ્રો.યશપાલ પ્રો.યૂ.આર.રાવ અને ડો. બળદેલ રાજને યાદ કર્યા છે. પીએમએ સ્ટીફન હોકિંગને પણ શ્રદ્ધાંજલિ આપી. એમને કહ્યું કે સ્ટીફન બે વખત ભારત આવ્યા અને આપણને એમના મિત્ર માન્યા.
An 'Ethno-Medicinal Research Centre' has been set up in Manipur to undertake research on the wild herbs available in the North-East region which have unique medicinal and aromatic properties.
State Climate Change Centres have been set up in 7 North-Eastern States: PM
મોદીએ કહ્યું કે મણિપુર યૂનિવર્સિટી નોર્થ ઇસ્ટમાં શિક્ષાના ક્ષેત્રમાં ઘણું મોટું કામ કરી રહી છે. આવું બીજી વખત થયું છે જ્યારે ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન નોર્થ ઇસ્ટમાં કરવામાં આવ્યું હોય. એમને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે દેશના વિકાસની નીતિ પર ફરીથી રિસર્ચ કરવામાં આવે. કાર્યક્રમમાં પીએમએ કહ્યું કે નોર્થ ઇસ્ટ માટે સરકારે ઘણું કામ કર્યું છે જેમાં ઘણા પ્રકારની રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટને બનાવવાનું કામ પણ છે.
એમને કહ્યું કે આજના સમયમાં સમાજ માટે વિજ્ઞાનની ખૂબ જ જરૂરીયાત છે. શું આપણા દેશમાં બાળકોને સાચી રીતે વિજ્ઞાનની જાણકારી છે એ વાત પર વિચારવું પડશે. હું વૈજ્ઞાનિકોને અપીલ કરું છું કે દર વર્ષે આશરે 100 કલાક શાળાના બાળકો સાથે પસાર કરે એનાથી ભારતનું ઉજ્જવળ ભવિષ્ય તૈયાર થશે.
એમને કહ્યું કે સરકારે દેશમાંથી ટીબીને ખત્મ કરવાનો નિર્ણય કર્યો છે. પૂરી દુનિયામાં ટીબીને ખત્મ કરવા માટે 2030નો લક્ષ્ય રાખ્યો છે પરંતુ ભારત 2025ના લક્ષ્યને લઇને આગળ વધી રહ્યું છે.
પ્રધાનમંત્રી અહીંયા લુવાંગશાંગબામ સ્થિત લુવાંગપોકપા મલ્ટી સ્પોટર્સ કોમ્પ્લેક્સ અને ઇન્ફાલ પશ્વિમી જિલ્લામાં મેરીકોમ બોક્સિંગ એકેડમીમાં વિવિધ પરિયોજનાનું ઉદ્ધાટન કરશે. સુરક્ષાની દ્રષ્ટિથી વધારે પોલીસ કર્મીઓ અને અર્ધસૈનિક બળોને વિશ્વવિદ્યાલય અને પ્રતિનિધિઓ જ્યાં રોકવાના છે એ હોટલમાં તૈનાત કરવામાં આવ્યા છે.
આ કાર્યક્રમમાં નોબેલ પુરસ્કારથી સમ્માનિત પ્રો મોહમ્મદ યુનૂસ પ્રો.હીરોશી અમાનો અને દલાઇ લામા પણ હાજરી આપી શકે છે. જો કે થોડાક દિવસ અગાઉ જ એવી માહિતી મળી હતી કે કેનદ્ર સરકારની કથિત વલણના લીધે દલાઇ લામા આ કાર્યક્રમમાં ભાગ લેશે નહીં.
તાજેતરમાં જ દલાઇ લામાનો નવી દિલ્હીમાં થનાર કાર્યક્રમને રદ કરવો પડ્યો હતો. ત્યારબાદ એવી અટકળો લગાવવામાં આવી હતી કે દલાઇ લામા સરકારથી નારાજ છે.