કોરોનાના નવા વેરિયન્ટે સમગ્ર દુનિયામાં ચિંતા વધારી છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ તાબડતોબ એક બેઠક બોલાવી છે.
કોરોનાના નવા વેરિયન્ટે વધારી ચિંતા
PM મોદી આવ્યા એક્શનમાં
તાબડતોબ બોલાવી ઉચ્ચ સ્તરીય બેઠક
મળતી જાણકારી પ્રમાણે ઝડપથી ફેલાતા કોરોનાના નવા વેરિયન્ટથી સમગ્ર દુનિયાનું ટૅન્શન વધ્યું છે ત્યારે પ્રધાનમંત્રી મોદી ખૂદ એક્શનમાં આવ્યા છે અને અધિકારીઓની એક બેઠક બોલાવી છે.
શું છે બેઠકનો એજન્ડા
ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશભરમાં કોરોનાની સ્થિતિ, વેક્સિનેશન અને તાજેતરમાં જ આવેલા કોરોનાના નવા વેરિયન્ટ મુદ્દે ચર્ચા કરવાના છે.
10.30 કલાકે યોજાશે બેઠક
PM મોદીની અધ્યક્ષતામાં આ ઉચ્ચ સ્તરીય બેઠક આજે સવારે 10.30 કલાકે યોજાવાની છે. જેમાં દેશના ઉચ્ચ અધિકારીઓ ભાગ લેશે. નોંધનીય છે કે, દેશમાં એકતરફ શાળા-કોલેજોમાં કોરોના ખૂબ ઝડપથી પ્રસરી રહ્યો છે, તેલંગણા, રાજસ્થાન, કર્ણાટક અને ઓડિશા સહિત અન્ય રાજ્યોમાં ટૅન્શન ફરી વધ્યું છે ત્યારે આ મુદ્દે PM મોદી ઉચ્ચાધિકારીઓ સાથે મંથન કરી શકે છે.
WHOએ નવા વેરિએન્ટને બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો
WHOની એર સલાહકાર સમિતીએ દક્ષિણ આફ્રીકામાં પહેલી વાર સામે આવેલા કોરોનાના નવા વેરિએન્ટને બહું ઝડપથી ફેલાનારો ચિંતાજનક પ્રકાર ગણાવ્યો છે. અને ગ્રીક વર્ણમાલા હેઠળ આને ‘ઓમીક્રોન’ નામ આપ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર સ્વાસ્થ્ય એજન્સી તરફથી અને શુક્રવારે કરવામાં આવેલ આ જાહેરાત પાછલા થોડાક મહિનામાં વાયરસના નવા પ્રકારની કેટેગરીમાં પહેલી વાર કરવામાં આવી છે. આ કેટેગરીમાં કોરોનાના ડેલ્ટા વેરિએન્ટને પણ રાખવામાં આવ્યો હતો. જેનો પ્રસાર દુનિયાભરમાં થયો હતો અને ભારતમાં બીજી લહેર માટે જે જવાબદાર હતો.
નવા વેરિએન્ટનું નામ ‘ઓમીક્રોન’ છે
WHOની કોરોના વાયરસ ઈલોલ્યૂશન પર ટેક્નીકલ સલાહ કાર સમૂહે એક ઈમરજન્સી બેઠક બાદ જારી કરેલા નિવેદનમાં કહ્યું કે કોરોના મહામારીના વિજ્ઞાનમાં એક હાનિકારક પરિવર્તનના સંકેત પ્રસ્તુત કરવામાં આવેલા પુરાવાના આધાર પર, ટીએજ વીઈએ WHOને સલાહ આપી છે કે આ સંસ્કરણને ચિતંના પ્રકાર (વીઓસી)માં રુપમાં લિસ્ટ કરવામાં આવવો જોઈએ અને WHOએ બી .1.1529 ના રુપમાં લિસ્ટ કર્યો છે. આ વીઓસીનું નામ ‘ઓમીક્રોન’ છે.
અમેરિકા, કેનેડા અને ફ્રાંસે લગાવ્યો ટ્રાવેલ પ્રતિબંધ
દક્ષિણ આફ્રિકામાં મળતા કોરોનના નવા વેરિએન્ટને લઈને દુનિયા સતર્ક થઈ ગઈ છે. કેટલાક દેશોએ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. અમેરિકાએ કોરોનાને પગલા દક્ષિણ આફ્રીકા અને 7 અન્ય આફ્રીકન દેશોના નોન અમેરિકન નાગરિકન પ્રવાસ પર સોમવારથી પ્રતિબંધ લગાવી દેવાનું એલાન કર્યું છે.
કેનેડાએ પણ જાહેરાત કરી છે કે તેણે વિદેશી પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે જેમણે છેલ્લા 14 દિવસમાં આફ્રિકાના દક્ષિણ ભાગમાં પ્રવાસ કર્યો છે. સરકારના મંત્રીઓએ એમ પણ કહ્યું કે ગત 14 દિવસમાં આફ્રીકાના દક્ષિણી ભાગના પ્રવાસ વાળા તમામ કેનેડાઈ નાગરિકની તપાસ ફરજિયાત થશે. ગત 14 દિવસમાં કેનેડા આવનારા લોકોને ક્વોરેન્ટાઈન રહેવા અને કોરોના સંક્રમણની તપાસમાં કરાવવા કહેવાયું છે.
કોરોનાના નવા સ્વરુપ B.1.1.529થી દુનિયાની ચિંતા વધી છે આ દરમિયાન WHOની પ્રમુખ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને શુક્રવારે કહ્યું છે કે કોરોનાના વિકાસ પર WHOનાના ટેક્નીકલ સલાહકાર ગ્રુપે સ્થિતિની સમીક્ષા કરવા અને સંસ્કરણના સંબંધમાં આગળનું અધ્યયન કરવા માટે શુક્રવારે એક બેઠક આયોજિત કરી. આ સાથે તેમણે દુનિયાના દેશોને નહી ગભરાવવા અને રસીકરણ કાર્યક્રમ પર ધ્યાન કેન્દ્રીત કરવા સાથે સાર્વજનિક સ્વાસ્થ્ય ઉપાયોને મજબૂત કરવાનો આગ્રહ કર્યો છે.