પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકીય રાજવંશના રાજકારણને લોકતંત્રનો "સૌથી મોટો દુશ્મન" ગણાવ્યો હતો અને તેની જડમૂડથી ઉખાડી ફેંકવા માટે યુવાનોને રાજનીતિમાં આવવા અપીલ કરી હતી.
રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવને PM મોદીનું સંબોધન
રાજકીય રાજવંશના રાજકારણને લોકતંત્રનો ગણાવ્યો સૌથી મોટો દુશ્મન
દેશના યુવાનોને રાજનીતિમાં જોડાવાની પ્રધાનમંત્રી મોદીએ કરી અપીલ
બીજા રાષ્ટ્રીય યુવા સંસદ મહોત્સવના સમાપન અધિવેશનને સંબોધતા તેમણે કહ્યું કે દેશને નવી ઊંચાઈ પર લઈ જવા અને તેને આત્મનિર્ભર બનાવવાનું કાર્ય દેશના યુવાનોના ખભા પર છે. પીએમ મોદીએ કહ્યું, "લોકશાહીનો સૌથી મોટો દુશ્મન રાજકીય વંશવાદ છે." દેશ સમક્ષ આ આવો પડકાર છે, જેને જડમૂળથી ઉખાડવો પડશે. હવે જેમણે 'અટક' ની સહાયથી ચૂંટણી જીતી લીધી છે, તેમના દિવસો પૂરા થયા છે.
રાજનીતિમાં વંશવાદનો રોગ યુવાનો ઉખાડી ફેંકે
પ્રધાનમંત્રી મોદીએ વધુમાં કહ્યું કે, રાજનીતિમાં વંશવાદનો રોગ હજી સુધી પૂર્ણ થયો નથી અને હજીપણ એવા લોકો છે જેમનું લક્ષ્ય પોતાના પરિવારની રાજનિતી અને રાજનીતિમાં પોતાના પરિવારને બચાવવાનો છે. તેમણે જણાવ્યું કે, રાજનૈતિક વંશવાદ દેશ પ્રથમની જગ્યાએ હું અને મારો પરિવારની ભાવનાને મજબૂત કરે છે. તે ભારતમાં રાજનૈતિક અને સામાજીક ભ્રષ્ટાચારનું એક મોટું કારણ છે. રાષ્ટ્રીય યુવા દિવસના અવસરે પ્રધાનમંત્રીએ યુવાનોને રાજનીતિમાં આવવા અને ભારતને નવી ઊંચાઇઓ પર લઈ જવા તથા દેશને આત્મનિર્ભર બનાવવામાં યોગદાન આપવા માટેનું આહવાન કર્યું છે. તેમણે એવું પણ જણાવ્યું કે, જ્યાં સુધી દેશના સામાન્ય યુવા રાજનિતીમાં નહીં આવે ત્યાં સુધી આપણું લોકતંત્ર નબળું જ રહેશે.
દરવર્ષે 12થી 16 જાન્યુઆરી સુધી ઉજવાય છે રાષ્ટ્રીય યુવા મહોત્સવ
ઉલ્લેખનીય છે કે, આ અવસર પર લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા, શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંક તથા રમત ગમત મંત્રી કિરણ રીજીજું ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય યુવા મહોત્સવ દર વર્ષે 12થી 16 જાન્યુઆરી સુધી ઉજવવામાં આવ્યા છે. 12 જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદ જયંતી છે અને આ દિવસે રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.