પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગુરુવારના રોજ રાષ્ટ્રીય કેડેટ કોર (NCC)ના કાર્યક્રમમાં ભાગ લીધો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજરોજ NCCના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં. પીએમ મોદીને આ દરમિયાન ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું. આ કાર્યક્રમમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીફ ઓફ ડિફેંસ સ્ટાફ બિપિન રાવત, ત્રણેય સેનાઓના પ્રમુખ પણ હાજર રહ્યાં.
પીએમ મોદીએ અહીં પોતાના સંબોધનમાં કહ્યું કે સંવિધાનમાં નાગરિક કર્તવ્યની વાત કહી છે, તેને નિભાવવાની બધાનું દાયિત્વ છે.
बीते साल भारत ने दिखाया है कि वायरस हो या बॉर्डर की चुनौती, भारत अपनी रक्षा के लिए पूरी मजबूती से हर कदम उठाने में सक्षम है।वैक्सीन का सुरक्षा कवच हो या फिर भारत को चुनौती देने वालों के इरादों को आधुनिक मिसाइल से ध्वस्त करना, भारत हर मोर्चे पर समर्थ है: प्रधानमंत्री नरेंद्र मोदी pic.twitter.com/mP1RvOyDaO
પીએમ મોદીએ NCCના કાર્યક્રમમાં સંબોધન કરતા કહ્યું કે ગત વર્ષે બતાવ્યું વાયરસ હોય કે સરહદનો પડકાર ભારત સંપૂર્ણ રીતે તૈયાર છે. આજે દેશ બે વેક્સીન બનાવી ચૂક્યું છે, સેનાનું આધુનિકરણ પણ થઇ રહ્યું છે. દેશને બીજા બે રાફેલ વિમાન પણ મળી ગયા છે, જે હવામાં જ રિફ્યૂલિંગ કરી શકે છે. હવે સેનાની જરુરિયાતને ભારતમાં જ પુરુ કરવામાં આવી રહ્યું છે.
નાગરિક કર્તવ્ય નિભાવવું બધાનું દાયિત્વ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે અહીં આવીને હંમેશા સારો અનુભવ થાય છે, કોઇપણને ગર્વ થાય છે. પીએમ મોદીએ કહ્યું કે જે દેશોના સમાજમાં અનુશાસન હોય છે, તે દેશ દરેક ક્ષેત્રમાં આગળ હોય છે. બધા યુવાઓએ પોતાની આસાપાસના લોકોને પણ અનુશાસન શીખડાવવું જોઇએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે દેશમાં જ્યાં કોઇપણ મહત્વપૂર્ણ કામ થાય છે, ત્યાં હંમેશા NCCના કેડેટસ પહોંચે છે અને સંકટના સમયે મદદ કરવા પહોંચે છે. દેશમાં એક સમય નક્સલવાદ મોટી સમક્યા હતી, પરંતુ લોકોની જાગરુકતાના કારણે નક્સલવાદની કમર તુટી ગઇ.
NCC ને આપવામાં આવી રહી છે મોટી જવાબદારી
પીએમ મોદીએ કહ્યું કે NCCની ભૂમિકાનો વિસ્તાર કરવામાં આવશે, સરહદી-દરિયા કિનારાની સુરક્ષા સાથે જોડાયેલ નેટવર્કને સશક્ત કરવા માટે NCCની ભાગીદારીને વધારવામાં આવી રહ્યું છે. જેના માટે 1,00,000 કેડેટસને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. સરકાર તરફથી NCC કેડેટસની તાકાતને પણ વધારવામાં આવી રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે હવે વિદ્યાર્થીઓ પણ કેડેટ્સનો ભાગ મોટી સંખ્યામાં બની રહ્યાં છે.
On 15th August last year, it was announced that NCC will be given new responsibilities in around 175 districts in the coastal and border areas. For this around, 1 lakh NCC cadets are being trained by Army, Navy and Air Force. Of these, 1/3rd cadets are girls: PM Narendra Modi https://t.co/gaovKwb4kf
પીએમ મોદીએ કહ્યું કે દિવાળી પર જ્યારે હું લોન્ગેવાલા પોસ્ટ પર ગયો હતો ત્યારે કેટલાક ઓફિસરો સાથે મુલાકાત કરી. 1971માં યુદ્ધમાં એ પોસ્ટ પર જવાનોએ નિર્ણાયક જીત પ્રાપ્ત કરી હતી, જ્યાં પાકિસ્તાનથી યુદ્ધ દરમિયાન પૂર્વ-પશ્ચિમની પોસ્ટ પર ભારતે તેઓને ધૂળ ચટાડી દીધી હતી. તે જંગમાં મળેલી જીત ને આજે 50 વર્ષ પુરા થયા છે.
પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ વર્ષે ભારત આઝાદીની 75માં વર્ષમાં પ્રવેશ કરશે. નેતાજીની જયંતી પણ મનાવામાં આવી રહી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝે દુનિયાની સૌથી મજબૂત સત્તાને હલાવીને રાખી દીધી હતી. પીએમ મોદીએ કહ્યું કે 2047માં જ્યારે દેશ આઝાદ થવા 100 વર્ષ પુરાકરશે, ત્યારે આજના પ્રયત્નો બધાને મજબૂતી આપશે.