પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિલ્મ ધ કશ્મીર ફાઈલ્સનાં વખાણ કર્યા છે. જાણો આ વિષે વિગતવાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યા 'The Kashmir Files'નાં વખાણ
The Kashmir Files ટીમની પીએમ મોદી સાથે મુલાકાત
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી કહી આ વાત
The Kashmir Files ટીમની પીએમ મોદી સાથે મુલાકાત
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'The Kashmir Files' આજકાલ સતત ચર્ચામાં છે. ફિલ્મનાં માધ્યમથી વિવેક અગ્નિહોત્રીએ એ તકલીફોને પરદા પર ઉતારી છે, જે કાશ્મીરી પંડિતોએ જીવી છે. પ્રોડયૂસર અભિષેક અગ્રવાલ, નિર્દેશક વિવેક રંજન અગ્નિહોત્રી અને એક્ટર પલ્લવી જોશી સહીત 'The Kashmir Files'ની ટીમે શનિવારે ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી. પીએમ નરેન્દ્ર મોદીએ ફિલ્મના વખાણ કર્યા અને ટીમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથેની મુલાકાતની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહી છે.
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 12, 2022
કશ્મીરી પંડિતોનાં નરસંહારની સ્ટોરી
ફીલ્મ્બની સ્ટોરી વર્ષ 1990માં કશ્મીરી પંડિતોનાં નરસંહાર તથા તેમની સાથે થયેલા અન્યાય વિષે છે, જેમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને પલ્લવી જોશીએ મુખ્ય ભૂમિકા નિભાવી છે. અભિષેક અગ્રવાલે પોતાના ટ્વીટર હેન્ડલ પર પીએમ મોદી સાથેની મુલાકાતની તસવીરો શેર કરતા પોતાના દિલની વાત સોશિયલ મીડિયા પર લખી છે.
અભિષેક અગ્રવાલે કર્યું આ ટ્વીટ
અભિષેક અગ્રવાલ લખે છે કે અમારા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને મળીને ખૂશી થઇ. #TheKashmirFiles વિષે તેમના વખાણ અને શબ્દોએ આ ફિલ્મને વધારે ખાસ બનાવી છે. અમે ક્યારેય કોઈ ફિલ્મને લઈને આટલો ગર્વ કર્યો નથી. ધન્યવાદ મોદીજી. નિર્દેશક વિવેક અગ્નિહોત્રીએ પણ આ ટ્વીટને રીટ્વીટ કર્યું અને લખ્યું છે કે તેઓ ખૂબ જ ખુશ છે.
વિવેક અગ્નિહોત્રીએ ટ્વીટ કરી કહી આ વાત
વિવેક અગ્નિહોત્રી લખે છે કે હું તમારા માટે ખૂબ જ ખુશ છું અભિષેક. તમે ભારતનાં સૌથી કડવા સત્યને પ્રોડ્યૂસ કરવાનો નિર્ણય લીધો. TheKashmirFilesની USAમાં સ્ક્રીનીંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં વિશ્વનાં બદલતા મિજાજને સાબિત કર્યો છે. જણાવી દઈએ કે આ ફિલ્મ 11 માર્ચનાં રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ ચુકી છે અને સતત ચર્ચાઓમાં બનેલી છે.
કપિલ શર્મા શોમાં ન હતું થયું પ્રમોશન
વિવેકે કપિલ પર સીધો નિશાનો સાધ્યો. તેમણે ખુલીને આ વિષે વાત કરી કે હું ખુદ કપિલ શર્મા શોનો મોટો ફેન છું. પરંતુ તેમણે અમને પોતાના શોમાં બોલાવવાની નાં પાડી છે, કેમકે અમારી ફિલ્મમાં વધારે કમર્શિયલ એક્ટર્સ નથી કે કોઈ મોટું સ્ટાર નથી. બોલિવુડમાં નોન સ્ટાર્ટર્સ ડાયરેક્ટર્સ, રાઈટર્સ તથા સારા એક્ટર્સને કઈ સમજવામાં આવતા નથી.
I don’t get to decide who should be invited on @KapilSharmaK9 show. It’s his and his producers choice whom he wants to invite. As far as Bollywood is concerned, I’d say what once Mr. Bachchan was quoted saying about Gandhis: वो राजा हैं हम रंक… https://t.co/la8y9FhB6l
— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) March 7, 2022